________________
“ચાલાદ - અનેકાંતવાદ” ધર્મોની અપેક્ષાથી અનંતાધર્મ હોય છે. સંબંધત વસ્તુની અનંતધર્માત્મકતા 30) :
સંબંધતઃ ઘટની વિવક્ષા કરવાથી અનંતકાળની અપેક્ષાએ અનંતા પરપદાર્થોની સાથે પ્રસ્તુત ઘટના આધાર-આધેયભાવ અનંત પ્રકારના હોય છે. અર્થાત્ અનંતકાળની અપેક્ષાએ વિચારીએ તો ઘટ અનંતીવાર આધાર કે આધેય બન્યો હશે. તેથી ઘટના આધાર-આધેયભાવ અનંત હોવાથી ઘટના અનંતા સ્વધર્મ છે.
એજ રીતે સ્વ-સ્વામિત્વ, જન્ય-જનકત્વ, નિમિત્ત-નૈમિત્તિકત્વ, કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન આદિ છ કારકરૂપ સંબંધ, પ્રકાશ્ય-પ્રકાશકત્વ, ભોજ્ય-ભોજકત્વ, વાહ્ય-વાહકત્વ, આશ્રય-આશ્રયીભાવ, વધ્ય-વધકત્વ, વિરોધ્ય-વિરોધકત્વ, શેય-જ્ઞાપકત્વ ઈત્યાદિ સંખ્યાતીત સંબંધો દ્વારા પણ પ્રત્યેકના અનંતાધર્મો જાણવા.
આ રીતે વસ્તુમાં અનંતા સ્વ-પર પર્યાયો રહેલા છે. હવે આત્મા અને મુક્તાત્મામાં અનંતધર્માત્મકતાને જોઈશું. આત્મા-મુક્તાત્મામાં અનંતધર્માત્મકતા) :
આત્મામાં ચૈતન્ય, (કર્મોનું) કર્તુત્વ, (કર્મોનું) ભોક્નત્વ, પ્રમાતૃત્વ, પ્રમેયત્વ, અમૂર્તિત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, નિશ્ચલ-અષ્ટપ્રદેશત્વ, લોકપ્રમાણપ્રદેશત્વ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, પરિણામિત્વ, સ્વશરીરવ્યાપિ ઈત્યાદિ સહભાવી ધર્મો હોય છે.
આત્મામાં હર્ષ-શોક, સુખ-દુઃખ, મત્યાદિજ્ઞાન-ઉપયોગ, ચક્ષુદર્શનાદિ દર્શન-ઉપયોગ, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યત્વ, (સર્વ પુગલની સાથે સંબંધ રાખવા રૂ૫) સર્વપુદ્ગલત્વ, અનાદિ અનંતત્વ, (સર્વ જીવો સાથે સર્વ સંબંધ કરેલ હોવાથી) સર્વસંબંધત્વ, સંસારિત્વ, (ક્રોધાદિ અસંખ્ય 30-31. મૂળપાઠ ષ.સમુ.બુ.વૃશ્લિોક-પ૫ ની ટીકામાં જોવા ભલામણ.