SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જૈનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો तृतीये च निरपेक्षयोः संग्रहव्यवहारयोः स्थापनाभ्युपगमोपपत्तावपि समुदितयोः संपूर्ण गमरूपत्वात्तदभ्युपगमस्य दुर्निवारत्वम् अविभागस्थान्नैगमात्प्रत्येकं तदेकैकभागग्रहणात्। અર્થ - ત્રીજા પક્ષને માનવામાં આવે તો નિરપેક્ષ સંગ્રહ અને વ્યવહારમાં સ્થાપનાનો અસ્વીકાર થઈ શકે છે. પરંતુ પરસ્પર મળેલા સંગ્રહ અને વ્યવહાર સંપૂર્ણ નગમના સ્વરૂપમાં થઈ જાય છે. તેથી તેને સ્થાપના સ્વીકાર કરવો પડશે. વિભાગ રહિત નેગમ નયના એક-એક ભાગનો સંગ્રહ અને વ્યવહાર સ્વીકાર કરે છે. કહેવાનો આશય એ છે કે, પરિપૂર્ણ નૈગમ સંગ્રહ અને વ્યવહારથી વિલક્ષણ છે. તેથી જો તે સ્થાપનાનો સ્વીકાર કરે તો સંગ્રહ અને વ્યવહાર પ્રમાણે સ્થાપના અનિવાર્ય નથી થતી. પરંતુ પરસ્પર મળીને સંગ્રહ અને વ્યવહાર સંપૂર્ણ નેગમ સમાન થઈ જાય છે. આ દિશામાં સંપૂર્ણ નગમના એક-એક ભાગને લેવાવાળા સંગ્રહ અને વ્યવહારને માટે પણ સ્થાપના આવશ્યક થઈ જાય છે. હવે આ વિષયમાં અધિક સ્પષ્ટતા કરે છે - किञ्च, संग्रहव्यवहारयो गमान्त वात्स्थापनाभ्युपगमलक्षणं तन्मतमपि तत्रान्तर्भूतमेव, उभयधर्मलक्षणस्य विषयस्य प्रत्येकमप्रेवेशेऽपि स्थापनालक्षणस्यैकधर्मस्य प्रवेशस्य सूपपादत्वात्, स्थापना सामान्यतद्विशेषाभ्युपगममात्रेणैव संग्रहव्यवहारयोर्भेदोपपत्तेरिति यथागमं भावनीयम्। અર્થ :- ઉપરાંત, સંગ્રહ અને વ્યવહારમાં નેગમનો અંતર્ભાવ છે, તેથી સ્થાપનાના સ્વીકાર રૂપ જે નગમનો મત છે, તે પણ તે બંનેની અંતર્ગત છે. ઉભય ધર્મરૂપ અર્થાત્ સામાન્ય-વિશેષ રૂપ વિષય કોઈ એકમાં પ્રવિષ્ટ થતો નથી, પણ સ્થાપના રૂ૫ એક ધર્મમાં પ્રવેશનું ઉપપાદન સરળતાથી થઈ શકે છે. સ્થાપના સામાન્ય અને સ્થાપના વિશેષ માની લેવાથી સંગ્રહ અને વ્યવહારનો ભેદ
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy