SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો તે માટીના ઘટ માટે “પદ્રવ્ય છે. તે જ રીતે જે દ્રવ્ય જે આકાશપ્રદેશમાં વ્યાપીને રહે છે, તે આકાશ ક્ષેત્ર તે દ્રવ્ય માટે “વિક્ષેત્ર કહેવાય છે અને બાકીના આકાશક્ષેત્રો તે દ્રવ્ય માટે “પરક્ષેત્ર' કહેવાય છે. જે દ્રવ્ય જે કાળમાં વિદ્યમાન છે, તે કાળ તે દ્રવ્ય માટે “સ્વકાલ' છે અને જે દ્રવ્ય જે કાળમાં અવિદ્યમાન છે, તે કાલ તે દ્રવ્ય માટે “પરકાલ' છે. તે જ રીતે જે દ્રવ્ય જે સ્વરૂપમાં વર્તે છે, તે સ્વરૂપ તે દ્રવ્યનો સ્વભાવ છે અને જે દ્રવ્ય જે સ્વરૂપમાં વર્તતું નથી, તે સ્વરૂપ તે દ્રવ્ય માટે ‘પરભાવ છે. સર્વ પદાર્થોનો સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ સ્વરૂપે વિચાર કરવામાં આવે છે. કોઈપણ વસ્તુને સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારવામાં આવે છે, ત્યારે તે “અસ્તિ' સ્વરૂપે ભાસિત થાય છે અને તે વસ્તુને પરદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારવામાં આવે છે, ત્યારે તે “નાસ્તિ' સ્વરૂપે ભાસિત થાય છે) હવે ઘટને જ્યારે સત્ત્વ, પ્રમેયવાદિ સામાન્ય ધર્મોની અપેક્ષાએ વિચારીએ, ત્યારે તે ઘટના સત્ત્વાદિ ધર્મો સ્વપર્યાયોના રૂપમાં જ વિદ્યમાન છે અર્થાત્ સત્ત્વાદિ સર્વે ધર્મો ઘટના સ્વ-પર્યાય જ બની જાય છે. તે સમયે બીજા કોઈ પરપર્યાય રહેતા નથી. એથી વિજાતીય પરપર્યાયોનો અભાવ હોવાથી તેની વ્યાવૃત્તિ પણ કરવી પડતી નથી. કહેવાનો આશય એ છે કે, જ્યારે “સર્વ ધર્મને આગળ કરીને વિચારવામાં આવે, ત્યારે સર્વે પણ સત્ એવા ચેતન અને અચેતન પદાર્થોમાં કોઈ ભેદ રહેતો નથી. તમામ પદાર્થો સર્વેન એક જ કહેવાય છે. તે જ રીતે પ્રમેયત્વેન, અભિધેયત્વેન પણ, સર્વ પદાર્થો સજાતીય જ બની જાય છે, કોઈ પદાર્થ વિજાતીય બનતા નથી. તેથી સત્ત્વાદિ સામાન્યધર્મોને આગળ કરીને ઘટનો વિચાર કરવામાં આવે ત્યારે તે સત્ત્વાદિ ધર્મો વસ્તુના સ્વપર્યાય જ બને છે અને તેથી સર્વે પદાર્થો
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy