SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ “જેનદર્શનમાં નિક્ષેપયોજન” ૨૮૯ भावार्थशून्यत्वं स्थापनारूपमपि त्रिष्वपि समानम्, त्रिष्वपि भावस्याभावात्। द्रव्यमपि नामस्थापनाद्रव्येषु वर्तते एव, द्रव्यस्यैव नामस्थापनाकरणात् द्रव्यस्य द्रव्ये सुतरां वृत्तेचेति विरुद्धधर्माध्यासाभावान्नैषां भेदो युक्त इति તુ, (નૈનનમાષT) અર્થ - શંકા ઃ ભાવને છોડીને નામ આદિનો પરસ્પર શું ભેદ છે? ત્રણેયમાં વૃત્તિનો અર્થાત્ સ્થિતિનો કોઈ ભેદ નથી, કારણ કે, નામ નામવાન્ પદાર્થમાં, સ્થાપનામાં અને દ્રવ્યમાં સમાન રૂપે રહે છે. સ્થાપનાનું સ્વરૂપ ભાવ અર્થથી રહિત હોય છે, તે પણ ત્રણેયમાં સમાન છે. કારણ કે, ત્રણેયમાં ભાવનો અભાવ છે. દ્રવ્ય પણ નામ, સ્થાપના અને દ્રવ્યમાં વિદ્યમાન છે. દ્રવ્યનું જ નામ રાખવામાં આવે છે અને દ્રવ્યની જ સ્થાપના કરવામાં આવે છે. દ્રવ્યની દ્રવ્યમાં વૃત્તિ વિના ક્લેશે થાય છે, વિરોધી ધર્મોનો સંબંધ ન થવાથી તેમનો ભેદ યુક્ત નથી. શંકાકારનો અભિપ્રાય એ છે કે, અર્થનો વર્તમાનકાળમાં જે પર્યાય છે, તે ભાવનું અસાધારણ સ્વરૂપ છે. એ નામ, સ્થાપના અથવા દ્રવ્યમાં નથી. પરંતુ નામ આદિ પરસ્પરમાં જોવા મળે છે. આ ત્રણેયનો જે અસાધારણ ધર્મ છે, તે પરસ્પર વિરોધી નથી. જેના ધર્મ પરસ્પર વિરોધી હોય છે, તે અર્થ ભિન્ન થાય છે. શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શ પરસ્પર વિરોધી છે. શીત સ્પર્શ જલનો અને ઉષ્ણ સ્પર્શ તેજનો ધર્મ છે. આ કારણે જલ અને તેજ ભિન્ન છે. જો નામ આદિ પરસ્પર વિરોધી હોત તો તેમાં આધાર-આધેયભાવ ન હોવો જોઈએ. પરંતુ તે એનામાં છે. જે અર્થનું કોઈપણ નામ છે, તેમાં નામની સત્તા છે. જે સ્વર્ગના અધિપતિ નથી, કેવળ નામથી ઈન્દ્ર છે તે ઈન્દ્ર નામે કહેવાય છે. જેમાં ઈન્દ્રની સ્થાપના કરવામાં આવી હોય તેને પણ લોકો ઈન્દ્ર કહે છે. જે કોઈ કાળમાં અર્થાત્ આગામી ભવમાં ઈન્દ્ર થવાવાળો છે તેને પણ ઈન્દ્ર
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy