________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
કથંચિત્ ભેદભેદરૂપ ત્રીજી જાતિનો જ છે. તે અવસ્થામાં ઘટ સર્વથા માટીરૂપ પણ નથી અને માટીમાંથી અન્ય દ્રવ્યરૂપ પણ બની જતો નથી. પરંતુ દ્રવ્યરૂપથી માટીના ઘટમાં અન્વય છે અને પર્યાયરૂપથી ભેદ છે. પિંડાવસ્થામાં ઘટાકાર નથી અને ઘટાવસ્થામાં ઘટાકાર છે. તેથી પર્યાયરૂપથી ભેદ છે છતાં પણ બંને અવસ્થામાં માટીરૂપથી અન્વય તો છે જ. (૫) વદર્શન સમુચ્ચય ગ્રંથમાં અનેકાંતના સમર્થનમાં એકદમ સરળ ઉદાહરણો આપીને અનેક ખુલાસાઓ કરીને અનેકાંત સિદ્ધાંતના હાર્દને સુંદર રીતે પ્રકાશિત કર્યું છે. તે હવે જોઈશું. 10)
જેમ એક મનુષ્યમાં (પૂર્વે જોયા મુજબ) વિભિન્ન નિમિત્તો (અપેક્ષાઓ) થી પિતૃત્વ, પુત્રત્વ આદિ અનેક સંબંધો (ધર્મો) ને માનવામાં વિરોધ નથી, તેમ કોઈપણ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાથી અનેક ધર્મો માનવામાં વિરોધ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિન્નનિમિત્તક સંબંધો (ધર્મો) ને જ વિરોધ હોય છે. અર્થાત્ અભિન્ન એક જ અપેક્ષાથી વસ્તુમાં અનેક ધર્મો માનવામાં આવે તો વિરોધ ઉભો થાય છે. જેમ કે, કોઈક મનુષ્યને પિતાની અપેક્ષાથી પિતા અને પુત્ર બંને કહેવામાં આવે તો સ્પષ્ટ વિરોધ આવે છે. પરંતુ વિભિત્રિ નિમિત્તક ધર્મોને વિરોધ હોતો નથી. તેથી)
10. यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरूध्यन्ते। तद्यथा - स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि। अभिन्ननिमित्तास्तु संबन्धा विरूध्यन्ते, तद्यथा - स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि। एवमनेकान्तेऽपि द्रव्यात्मनैकं पर्यायात्मना त्वनेकत्वमित्यादिभिन्ननिमित्ततया न विरूध्यते। द्रव्यात्मनैवैकमनेकं चेत्यादि त्वभिन्ननिमित्ततया विरूध्यते। अभिन्ननिमित्तत्वं हि विरोधस्य मूलं, न पुनर्भिन्ननिमित्तत्वमिति। सुखदुःखनरदेवादिपर्याया अप्यात्मनो नित्यानित्यत्वाद्यनेकान्तमन्तरेण नोपपद्यन्ते, यथा सर्पद्रव्यस्य स्थिरस्योत्फणविफणावस्थे मिथो विरूद्ध अपि द्रव्यापेक्षया न विरूद्ध, यथैकस्या अङ्गल्याः सरलताविनाशो वक्रतोत्पत्तिश्च, यथा वा गोरसे स्थायिनि दुग्धपर्यायविनाशोत्तरदधिपर्यायोत्पादौ संभवन्तौ प्रत्यक्षादिप्रमाणेनोपलब्धौ, પર્વ સર્વસ્વ વસ્તુનો દ્રવ્યયાત્મવત્તાવા (પ, સમુ. વૃદવૃત્તિ:, રત્નો. ૧૭ (ત્રીજા))