SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો ધર્મ પણ અર્થને પોતાના સંબંધથી પોતાના સ્વરૂપ સાથે પ્રકાશિત કરે છે. ધર્મીને પોતાના સ્વરૂપ સાથે પ્રકાશિત કરવો, તે ધર્મોનો ઉપકાર છે. (૬) છઠ્ઠા પ્રકારનું નિરૂપણ : य एव गुणिनः सम्बन्धो देश : क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्येषामिति गुणिदेशेनाभेदवृत्तिः। અર્થ : અસ્તિત્વ ધર્મ ગુણી અર્થના જે ક્ષેત્રરૂપ દેશમાં રહે છે, તે જ દેશ અન્ય ધર્મોનો પણ છે, આ ગુણીની દેશ દ્વારા અમેદવૃત્તિ છે. (૭) સાતમા પ્રકારનું નિરૂપણ : __य एव चैकवस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः स एवान्येषामिति संसर्गेणाभेदवृत्तिः। અર્થ : અસ્તિત્વનો જીવ આદિની સાથે એક વરૂપે જે સંસર્ગ છે, તે જ અન્ય ધર્મોનો પણ છે. આ સંસર્ગથી અભેદવૃત્તિ છે. હવે સંબંધ અને સંસર્ગ વચ્ચે જે ભેદ છે તે જણાવે છે - गुणीभूतभेदादभेदप्रधानात् सम्बन्धाद्विपर्ययेण संसर्गस्य भेदः। અર્થ - જેમાં ભેદ ગૌણ છે અને અભેદ પ્રધાન છે. આ પ્રકારના સંબંધથી વિપરીત સ્વરૂપવાળું હોવાના કારણે સંસર્ગનો ભેદ છે. કહેવાનો આશય એ છે કે, પહેલાં અવિખ્વભાવ નામના સંબંધનું વર્ણન થયું છે, તે સંબંધ જ સંસર્ગ છે કે બંને વચ્ચે ભેદ છે? આ બંનેમાં ભેદનું કોઈ લક્ષણ તો પ્રતીત થતું નથી, આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે, - સંબંધ અને સંસર્ગમાં અભેદ છે, પરંતુ ભેદ પણ છે, સંબંધમાં ભેદ ગૌણ હોય છે અને અભેદ પ્રધાન હોય છે, તેનું વિપરીત રૂપ સંસર્ગમાં છે. સંસર્ગમાં અભેદ ગાણ અને ભેદ પ્રધાન હોય છે. (૮) આઠમા પ્રકારનું નિરૂપણ स एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एवाशेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः। અર્થ - જે “અસ્તિ' શબ્દ અસ્તિત્વ ધર્માત્મક અર્થાત્ અસ્તિત્વ
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy