________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
युगपद्विधिनिषेधकल्पनया च षष्ठ : (४) । स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिनिषेधकल्पनया युगपद्विधि-निषेधकल्पनया च सप्तम इति (१) । (जैनतर्कभाषा)
૨૫૪
અર્થ :- બધા પદાર્થ કોઈ અપેક્ષાએ છે અથવા કોઈ અપેક્ષાએ અવક્તવ્ય છે, આ રીતે વિધિની વિવક્ષાએ અને એક સાથે વિધિ અને નિષેધની વિવક્ષાએ પાંચમો ભાંગો થાય છે. કોઈ અપેક્ષાએ બધા પદાર્થ નથી અને કથંચિત્ અવક્તવ્ય છે, આ રીતે નિષેધની તથા એક કાળમાં વિધિ-નિષેધની વિવક્ષાએ છઠ્ઠો ભાંગો થાય છે. કોઈ અપેક્ષાએ બધા પદાર્થ છે, કોઈ અપેક્ષાએ નથી અને કોઈ અપેક્ષાએ અવક્તવ્ય છે, આ રીતે ક્રમશઃ વિધિ-નિષેધની અને એક સાથે વિધિ-નિષેધની વિવક્ષાએ સાતમો ભાંગો થાય છે.
કહેવાનો આશય એ છે કે, અપેક્ષાએ અર્થના સત્ત્વ અને અસત્ત્વનું નિરૂપણ કરવાવાળો પ્રથમ અને બીજો ભાંગો મૂળભૂત છે. ભાવ અને અભાવરૂપ બે ધર્મોની પ્રતીતિ પ્રધાનરૂપે કોઈ શબ્દ નથી કરાવી શકતો, તેથી અવક્તવ્ય ભાંગો પ્રગટ થાય છે. એક કાળમાં બે ધર્મોની પ્રધાનરૂપે કહેવાની ઈચ્છા અવક્તવ્ય ભાંગાના પ્રગટ થવામાં કારણ છે. પહેલાં બે ભાંગાઓની સાથે અવક્તવ્ય ભાંગાનો વિવિધ રીતિથી સંયોગ કરવાથી અન્ય ભાંગા બની જાય છે. તેમાં અવક્તવ્ય ભાંગાને કેટલાક લોકો ત્રીજું સ્થાન આપે છે તથા વિધિ અને નિષેધનું ક્રમથી પ્રતિપાદન કરવાવાળા ભાંગાને ચોથું સ્થાન આપે છે. જ્યારે એક ધર્મીમાં ચોથા ભાંગા દ્વારા પ્રતિપાદિત થવાવાળા અવક્તવ્યત્વને પ્રથમ ભાંગા દ્વારા
8. अथ षष्ठभङ्गोल्लेखं प्रकटयन्ति - स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया, युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः ।।४-२० ।। परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सति अस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्वं वस्तु, इति स्यान्नास्तित्वविशिष्टस्यादवक्तव्यमेवेति षष्ठो મŞ: ।। (પ્ર.ન.તત્ત્વા.)
9. स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधि-निषेधकल्पनया, युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ।।४- २१ ।। क्रमतः स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सति परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे च सति यौगपद्येनास्तित्व- नास्तित्वाभ्यां वक्तुमशक्यं सर्वं વસ્તુ, કૃતિ સપ્તમો ભ≤: ।।૨૧।। (પ્ર.ન.તત્ત્વા.)