________________
૨ ૧૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
બે પ્રકારનું છે. એક સત્ય જ્ઞાન કે જેના દ્વારા પ્રકાશિત અર્થ પ્રાપ્ત થઈ શકે છે. પુસ્તકને જોઈને પુસ્તકનું જ્ઞાન થાય છે. તેને લઈને વાંચી શકાય છે, આ જ્ઞાન સત્ય જ્ઞાન છે. પુસ્તક અને પુસ્તકનું જ્ઞાન બંને સત્ય છે. પ્રકાશની જેમ જ્ઞાન અર્થોનું પ્રકાશક છે. પ્રકાશ અને તેના દ્વારા પ્રકાશિત અર્થ જે રીતે સત્ય છે, તે જ રીતે જ્ઞાન દ્વારા પ્રકાશિત અર્થ અને જ્ઞાન સત્ય છે. ક્યારેક ક્યારેક અર્થ (પદાર્થ) ન હોવાં છતાં પણ જ્ઞાન થઈ જાય છે. શક્તિ હોય છે અને જ્ઞાન રકતનું થાય છે, આ જ્ઞાન બાદ રજતની પ્રાપ્તિ નથી થતી, તેથી આ મિથ્યા જ્ઞાન છે. આ પ્રકારના મિથ્યાજ્ઞાનોને લઈને વિજ્ઞાનવાદીઓએ બધા જ જ્ઞાનોને મિથ્યા માની લીધા. તેઓએ કહ્યું છે કે, જે રીતે રજત ન હોવા છતાં પણ પ્રતીત થાય છે, તે જ રીતે પુસ્તક, સૂર્ય, ચંદ્ર, ભૂમિ આદિ સમસ્ત પદાર્થ ન હોવા છતાં પણ પ્રતીત થાય છે. તેથી જ્ઞાન કેવળ સત્ય છે અને પદાર્થ મિથ્યા છે. આ જ્ઞાનાત મત પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી વિરુદ્ધ હોવાને લીધે અયુક્ત છે.
બ્રહ્માત સમસ્ત અર્થોને બ્રહ્મરૂપે સ્વીકારે છે. બ્રહ્મનો અર્થ છે આત્મા. સમસ્ત અર્થોને આત્મા જાણે છે અને જાણીને વ્યવહાર કરે છે. વ્યવહારનું મૂળ આત્મા છે. આત્મા બાહ્ય અર્થોને જાણે છે. તેથી બાહ્ય અર્થ વિદ્યમાન સિદ્ધ થાય છે. જેનું ક્યારેય જ્ઞાન નથી તેની સત્તા નથી. આકાશપુષ્પ આદિનું ક્યારેય જ્ઞાન નથી થતું, તેથી તે અસત્ છે. આત્મા જાણે છે, તેથી બાહ્ય અર્થની સત્તા સિદ્ધ થાય છે. એટલે બ્રહ્માદ્વૈતવાદી કહે છે કે, બ્રહ્મરૂપ આત્મા જ સત્ય છે, બાહ્ય અર્થ સત્ય નથી. સ્વપ્નમાં આત્મા ન હોવા છતાં પણ બાહ્ય અર્થોને જુએ છે અને વ્યવહાર કરે છે. સ્વપ્નનો સમસ્ત વ્યવહાર મિથ્યા છે, તો પણ જ્યાં સુધી સ્વપ્ન રહે છે, ત્યાં સુધી તે વ્યવહાર સત્ય પ્રતીત થાય છે. સ્વપ્નને મિથ્યા