SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૦ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો લાવવામાં નથી આવતું ત્યારે તે ઘટ નથી કહી શકાતો. એટલે એવભૂત નય પ્રમાણે ઘટ કથંચિત્ અસતું પણ છે. આ રીતે સંગ્રહ દ્વારા સત્ત્વ અને વ્યવહાર આદિ દ્વારા અસત્ત્વનું પ્રતિપાદન થવાને કારણે ઘટ રૂ૫ અર્થમાં પ્રથમ અને બીજો ભાંગો થઈ જાય છે. તેને અનંતર સંગ્રહ વ્યવહાર અથવા સંગ્રહ જુસૂત્ર આદિ બે નયોના આશ્રયે ક્રમ સાથે સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન કરવાથી ત્રીજો ઉભય ભાગો થશે. જો બે-બે નયોનો આશ્રય લઈને ક્રમ વગર સત્ત્વ અને અસત્ત્વના પ્રતિપાદનની ઈચ્છા હોય તો ચોથા અવક્તવ્ય ભાંગાનો ઉદય થશે. વિધિના પ્રયોજક સંગ્રહ નય અને નિષેધના પ્રયોજક નયોનો આશ્રય લઈને એક સાથે સત્ત્વ અને અસત્ત્વના નિરૂપણની ઈચ્છા હોય તો પાંચમો “અસ્તિ અવક્તવ્ય ભાંગો બની જશે. પ્રતિષેધના પ્રયોજક નયનો આશ્રય લઈને અને સાથે જ ક્રમ વગર સત્ત્વ અને અસત્ત્વને કહેવાની ઈચ્છા હોય તો છઠ્ઠો “નાસ્તિ અવક્તવ્ય” ભાંગો પ્રગટ થશે. ક્રમ અને અક્રમ ઉભય નયોનો આશ્રય લઈને વિવક્ષા કરવામાં આવે તો “અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય” સાતમો ભાંગો બની જશે. આ રીતે સંગ્રહથી વિધિ અને ઉત્તરવર્તી નયોથી નિષેધની કલ્પના બે મૂળ ભાંગાને પ્રકટ કરે છે. ત્યાર બાદ બે મૂળ ભાંગા દ્વારા પાંચ ભાંગા પ્રગટ થઈ જાય છે. આ રીતે સપ્તભંગીનો આશ્રય નય છે. બીજો પ્રકાર આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીનો છે. તે મુજબ સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર અર્થનય છે, આ ત્રણ નયોમાં સપ્તભંગીનો ઉદ્દભવ છે. સામાન્યના પ્રકાશક સંગ્રહમાં પ્રથમ ભાંગો છે. જેનો આકાર છે “ચાન્ તિ''. બીજો ભાંગો “યાહૂ નાતિ' છે. આ વિશેષના પ્રકાશક વ્યવહારનો આશ્રય લે છે. ત્રીજો “થાત્ સવભાવ્ય'ભાંગો ઋજુસૂત્ર પર આશ્રિત છે. “ચાત્ તિ, ચાત્ નાસ્તિ” આ ચોથો
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy