________________
નયવાદ
(વિરોધ) કરવાવાળો (અર્થાત્ નહીં માનવાવાળો) એવો આ 28 જુસૂત્રનય, શુદ્ધ એવા અર્થપર્યાયને (ક્ષણમાત્રવર્તી શબ્દોથી અવાચ્ય એવા ક્ષણિક વર્તમાન પર્યાયને) માનવાવાળો આ નય છે. તેથી તે દ્રવ્યાર્થિક નય કેમ બને? એવો આ તર્કવાદી આચાર્યોનો આશય છે. તર્કવાદી આચાર્ય ભગવંતનું કહેવું એ રીતનું છે કે, ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે અને વર્તમાનકાળમાં તો પર્યાયની જ પ્રધાનતા હોય છે. દ્રવ્યાંશની પ્રધાનતા નથી હોતી, કારણ કે, જો દ્રવ્યાંશમાં લઈએ તો તે ત્રિકાલવર્તી હોવાથી ભૂત-ભાવિ પણ આવી જાય અને આ નય ભૂત-ભાવિ તો સ્વીકાર કરતો નથી. તેથી વર્તમાનકાલવર્તી અર્થપર્યાયને જ આ જુસૂત્રનય સ્વીકારે છે. તો તેનો દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ કઈ રીતે કરી શકાય? - અનુયોગદ્વાર સૂત્રનો વિરોધ અને તેનો પરિહાર :
તે તર્કવાદી આચાર્ય ભગવંતોના મત પ્રમાણે ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી હોવાથી, શુદ્ધ એવા અર્થપર્યાયને માનવાવાળો હોવાથી પર્યાયાર્થિકનયમાં તેનો અંતર્ભાવ થાય છે. તેના માટે “દ્રવ્યાવશ્યકમાં લીન સંભવિત નથી.” અર્થાત્ નામાવશ્યક, સ્થાપનાવશ્યક, દ્રવ્યાવશ્યક અને ભાવાવશ્યક આ ચાર પ્રકારના આવશ્યકોમાં ભાવાવશ્યક જ હોય છે. દ્રવ્યાવશ્યક કેમ હોય? અર્થાત્ દ્રવ્યાવશ્યક ન હોય એવું તો તેઓ માને છે. કારણ કે, વર્તમાનાવસ્થાને ભાવ કહેવાય છે અને ભાવનિક્ષેપાની આગલી પાછલી (ભૂત-ભાવિ) અવસ્થાને દ્રવ્ય કહેવાય છે, જે આ નય માનતું નથી, તેથી આ ઋજુસૂત્રનયની દષ્ટિએ ભાવનિક્ષેપો જ સ્વીકૃત હોવાથી દ્રવ્યાવશ્યકની લીનતા (માન્યતા) સંભવિત નથી. એવી રીતનો તર્કવાદી આચાર્ય ભગવંતોનો અભિપ્રાય છે.”(65) પણ અનુયોગદ્વાર 65. ते आचार्य नईं मतई ऋजुसूत्रनय द्रव्यावश्यकनई विषई लीन न संभवइ तथा च - "उज्जुसुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छई” इति अनुयोगद्वारसूत्रविरोधः।