SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧ ૪૩ પૂર્વોક્ત અનુમાનમાં “સદવિશેષ” આ લિંગથી અનુમિત (એક સત્તાકત્વેન) એકત્વ બધા જ પદાર્થોનો સંગ્રહ કરે છે. અર્થાત્ બધા જ પદાર્થોમાં રહેલી “આ સત્ છે, આ સત્ છે” આ જ્ઞાનમાં કારણભૂત સત્તા, તે “સત્તા' ધર્મને પ્રધાન બનાવીને બધાં જ પદાર્થોને એકમાં સંગૃહીત કરે છે, તે સંગ્રહનય છે. કહેવાનો આશય એ છે કે, જીવ, અજીવ આદિ જેટલા ચેતન અને અચેતન પદાર્થ છે, તે બધાં “સત્તા' રૂપ સાધારણ ધર્મની અપેક્ષાએ એક છે. જીવ આદિ જે વિશેષ છે, તેમાં કોઈનો પણ સ્માન અસત્ નથી. બધાં જ પદાર્થ “સત્' રૂપથી પ્રતીત થાય છે. પદાર્થોમાં પરસ્પર ભેદ છે, પરંતુ કોઈપણ પદાર્થ અસત્ નથી. સત્ અને અસત્નો વિરોધ છે. જીવ આદિમાંથી જો કોઈ પદાર્થ અસત્ હોય, તો તે સત્ રૂપથી પ્રતીત ન થવો જોઈએ. સત્ હોવાથી તે અસત્ નથી થઈ શકતો. દ્રવ્યાદિ કોઈપણ પદાર્થ હોય, પરંતુ કોઈપણ પદાર્થ સત્ત્વ વગર પોતાના ભિન્ન સ્વરૂપમાં તે નથી રહી શકતો. એટલે સમસ્ત વિશેષોમાં સત્ત્વ અનુગત છે, તેથી જ દ્રવ્ય છે. તદુપરાંત, જ્યાં સુધી “સ” રૂપનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી કોઈપણ વિશેષનું જ્ઞાન નથી થતું. તદુપરાંત, “સત્ત્વ” નો ભેદોની સાથે વિરોધ નથી. જીવાદિ પદાર્થ પરસ્પર ભિન્ન હોવા છતાં પણ સમાનતયા “સ” પ્રતીત થાય છે. પૂર્વોક્ત અનુમાનમાં પર્યાય અને ગુણ વિના પ્રતીત થતું હોવાથી સર્વ સામાન્ય શુદ્ધ છે. તેથી જ સમ્મતિતર્કની ટીકામાં સંગ્રહનયની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, શુદ્ધ દ્રવ્યે સમશ્રિત્ય સંગ્રેહંદી આ નયની માન્યતાને સ્પષ્ટ કરતાં અનેકાંત વ્યવસ્થામાં કહ્યું છે કેવી), સત્તા (બધાં જ પદાર્થોમાં રહેલું સત્ત્વ) સર્વ પદાર્થોમાં રહે છે, 41. सत्तायाः सर्वपदार्थाव्यभिचारात्। यदेव च सर्वाव्यभिचाररूपं तदेव पारमार्थिकं यच्च व्यभिचारं तत् प्रबुद्धवासनाविशेषनान्तरीयकोपस्थितिकमप्यपारमार्थिकम् (अनेकांतव्यवस्था)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy