________________
૧૨૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પર્યાયનું, નિત્યત્વ અને અનિત્યત્વ આદિનું પ્રતિપાદન નેગમ નય ગૌણમુખ્ય ભાવથી કરે છે. જ્યાં નૈગમ નય સામાન્યનું પ્રધાન ભાવથી અને વિશેષનું ગૌણ ભાવથી પ્રતિપાદન કરે છે, ત્યાં નેગમ નયનો અને સંગ્રહ નયનો વિષય સરખો થઈ જાય છે. જ્યાં વિશેષનું પ્રધાન રૂપથી અને સામાન્યનું ગૌણ રૂપથી પ્રકાશન થાય છે, ત્યાં વ્યવહાર નય અને નૈગમ નયનો વિષય સમાન થઈ જાય છે. અહીંયાં ધ્યાનમાં રાખવું જોઈએ. કે, જ્યારે નેગમ સામાન્ય અથવા વિશેષનું પ્રતિપાદન કરે છે, ત્યારે સામાન્યના અનુગામી સ્વરૂપનું અને વિશેષના કેવળ વ્યક્તિમાં રહેવાવાળા સ્વરૂપનું પ્રકાશન નથી કરતો. તે મુખ્ય રૂપથી સામાન્ય અને વિશેષના ગણ-મુખ્ય ભાવનો આશ્રય લઈને પ્રકાશન કરે છે. સામાન્ય રૂ૫ અથવા વિશેષ રૂ૫ વસ્તુ હોય છે, કેવળ એટલાથી જ સંગ્રહ નય અથવા વ્યવહાર નય સાથે વિષય સમાન થાય છે. જ્યારે નૈગમ નય “જીવમાં ચૈતન્ય સત્ છે.” આ રીતે સત્ત્વ અને ચૈતન્ય આ બે પર્યાયોનું મુખ્ય અને ગૌણ ભાવથી પ્રતિપાદન કરે છે, ત્યારે સત્ત્વના અનુગામી હોવા છતાં પણ તેના અનુગામી સ્વરૂપનું પ્રતિપાદન નથી કરતો. પરંતુ ચૈતન્ય સાથે સત્ત્વનો કેવળ સંબંધ પ્રગટ કરે છે. તેથી સત્વ રૂ૫ તિર્યકુ સામાન્યનું પ્રતિપાદન હોવાં છતાં પણ નેગમ નયનો સંગ્રહ નયથી સ્પષ્ટ ભેદ છે.
જ્યારે નગમ નય “વિષયમાં આસક્ત જીવ ક્ષણભર માટે સુખી થાય છે.” આ રીતે પ્રતિપાદન કરે છે, ત્યારે સુખરૂપ ધર્માત્મક પર્યાયનું પ્રતિપાદન કરવા છતાં પણ સુખના વ્યક્તિમય વિશેષ રૂપનું નિરૂપણ નથી કરતું. સુખ એક પર્યાય વિશેષ છે. આ તત્ત્વ તરફ નગમ નયનું ધ્યાન નથી, તે કેવળ સુખને વિશેષણ રૂપથી અને જીવને વિશેષ્ય રૂપે પ્રતિપાદન કરવામાં ધ્યાન દે છે. સુખ એક પર્યાય રૂ૫ વ્યક્તિ વિશેષ છે, એટલાથી વ્યવહાર અને નગમનો વિષય સર્વથા સમાન નથી થઈ જતો.