SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ' જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો વચનને નયવાક્ય કહેવામાં આવે છે. તેથી જ નયોપદેશ ગ્રંથમાં આગળ જણાવ્યું છે કે, तेन सापेक्षभावेषु प्रतीत्यवचनं नयः। પ્રમાણનયતત્તાલોકનાં નયપરિચ્છેદમાં નયના વિષયમાં વધારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, "वस्त्वंशे प्रवर्तमानो नयः स्वार्थैकदेशव्यवसायलक्षणो न प्रमाणं નપિ મિથ્યાજ્ઞાનેમિતિ પાછા.” વસ્તુના એક પ્રતિનિયત અંશમાં પ્રવર્તિત નય પોતાને ઈચ્છિત એવા વસ્તુના) એક દેશના જ્ઞાન સ્વરૂપ છે અને તે પ્રમાણ નથી. (કારણ કે, પ્રમાણ તો વસ્તુના સમસ્ત અંશોનું ગ્રાહક છે અને) તે નય મિથ્યાજ્ઞાન પણ નથી. કારણ કે, નય વસ્તુમાં રહેલા પ્રતિનિયત ધર્મનું અવગાહન કરાવે છે અને તે વસ્તુના “સ્વ” ને અનભિપ્રેત એવા અન્ય ધર્મોનો અમલાપ નથી કરતો. સ્વયંના ઈષ્ટ અંશ = ધર્મને મુખ્યતાથી પુરસ્કૃત કરે છે અને અન્ય નયોના ઈષ્ટ ધર્મોને ગોણરૂપથી સ્વીકૃત રાખે છે.) નયવાક્યનું લક્ષણ નયવાક્યનું લક્ષણ જણાવતી વખતે “ગયપ્રતિવ” ગ્રંથમાં કહ્યું છે કે, नयवाक्यलक्षणं तु अपरधर्म-ग्रहोपेक्षकत्वे सत्येकधर्मग्राहिवाक्यं नयवाक्यम्। વસ્તુના અપર (અન્ય) ધર્મોને ગ્રહણ કરવામાં ઉપેક્ષા કરવાની સાથે પોતાને અભિપ્રેત વસ્તુના) એક ધર્મને ગ્રહણ કરવાવાળા વાક્યને નયવાક્ય કહેવાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, નયવાક્ય વસ્તુના પોતાને ઈચ્છિત નથી એવા ધર્મોને ગ્રહણ કરવામાં ઉપેક્ષા કરે છે અર્થાત્ “સ્વ” ને અનભિપ્રેત ધર્મોનાં ગ્રહણમાં ઉદાસીન રહે છે. પરંતુ તે અન્ય ધર્મોની પૂર્ણ ઉપેક્ષા
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy