________________
(૩૦) નયમાર્ગદર્શક,
, તે દ્રવ્યાર્થિક નયન દશ ભેદ છે. ૧ અન્વય દ્વવ્યાર્થિક, ૨ સવદ્રાદિગ્રાહક દ્રવ્યાર્થિક, ૩ પરદ્રવ્યાદિગ્રાહક દ્વવ્યાર્થિક, ૪ પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક, ૫ કપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૬ ઉત્પાદવ્યય ગૌણ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક, ૭ ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૮કપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૯ ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તા ગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક અને ૧૦ ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક–આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે.
નયચંદ્ર–ભગવન, આપે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ ગણાવ્યા પણ તે દરેકના અર્થ સમજાવાની કૃપા કરો, કારણ કે, તેના અર્થ અજાણ્યા વિના એ ગહન વિષયમાં અમારી બુદ્ધિને પ્રવેશ થઈ શકશે નહીં. *
આનંદસૂરિ આનંદિત થઈને બોલ્યા-ભદ્રનયચંદ્ર, હવે ધ્યાન દઈને સાંભળદરેક દ્રવ્યને અન્વય, તેના ગુણ પર્યાયને વિષે હેય છે, એટલે દ્રવ્ય એક ગુણ પર્યાય સ્વભાવી હોય છે, તે દ્રવ્ય જાણવાથી તેના સર્વ ગુણપર્યાય જાણેલા કહેવાય છે. આ પ્રમાણે જે જાણવું, તે અન્વય દ્વવ્યાર્થિક નય કહેવાય છે.
સ્વ એટલે પિતાનાદ્રાદિકને ગ્રાહકન તેસ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્વવ્યાર્થિક નય કહેવાય છે. આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભા વ એ ચારેનું ગ્રહણ થાય છે. એટલે સ્વદ્રવ્ય–પિતાનું દ્રવ્ય, સ્વક્ષેત્ર પિતાનું ક્ષેત્ર, સ્વકાલ–પિતાને કાલ અને સ્વભાવ પિતાને ભાવ તે ચારેથી દ્રવ્યની જે સત્તા સિદ્ધ થાય, તે પ્રમાણ છે–સિદ્ધ છે આ પ્રમાણે જે જાણવું, તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે.. - જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો–ગુરૂવર્ય, તે વિષે કઈ વસ્તુનું દષ્ટાંત આપી સમજાવે. પુત્રના આ વચનને પિતા નયચંદ્ર અનુમોદન આપ્યું, એટલે સૂરિવર્ય બાલ્યા–ભદ્ર, નયચંદ્ર, સ્વદ્રવ્યાદિ ગ્રાહક
વ્યાર્થિક નયને માટે એક માટીના ઘડાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે, એક માટીને ઘડે છે, તેની અંદર જે માટી છે, તે સ્વદ્રવ્ય છે. તે પાટલીપુર વિગેરે શહેરમાં જ્યાં બનેલે છે, તે તેનું સ્વક્ષેત્ર છે. હેમંત વિ