SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૫ ૨ ઈન્દ્રિયઈં કરીનઈં જાણો છો. એ નઈયાયિકમત અનુસરીનઈં કહિઉં. સ્વમતઈં ગંધાદિક પર્યાયદ્વારઈં ઘ્રાણેંદ્રિયાદિકઈ પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઈ, નહીં તો ‘કુસુમ ગંધું છું ઈત્યાદિ જ્ઞાનનઈ ભ્રાંતપણું થાઈ, તે જાણવું. ઈમ એક-અનેક ઈન્દ્રિયગ્રાહ્યપણ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણપર્યાયનઈં માંહોમાંહિં ભેદ, તે સહભાવી ક્રમભાવી એ કલ્પનાથી જ (ભાવવું). ||૨/૧૫ા ટબાર્થ : દ્રવ્ય એવાં ઘટ, પટ આદિ આધાર દેખાય છે=તેમાં વર્તતા ગુણ-પર્યાયના આધાર દેખાય છે. ગુણ-પર્યાયનો આધા૨ દ્રવ્ય કેમ દેખાય છે ? તેથી કહે છે જે માટે “આ ઘટમાં રૂપાદિ છે” એમ જણાય છે. ગુણ-પર્યાય=રૂપ-રસાદિક અને નીલપીતાદિક=ગુણ રૂપ-૨સાદિ અને પર્યાય નીલ-પીતાદિ, આધેય છે=દ્રવ્ય ઉપર રહ્યા છે=આધાર એવાં દ્રવ્યમાં રહ્યા છે. એમ આધાર-આધેય ભાવથી દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ છે. - વળી, રૂપાદિક ગુણ-પર્યાયો એક ઇન્દ્રિયગોચર કહેતાં વિષય છે. જેમ, રૂપ ચક્ષુરિન્દ્રિયથી દેખાય છે, રસ રસનેન્દ્રિયથી જ જણાય છે, ઇત્યાદિક=આદિથી ગંધ, સ્પર્શ તે તે ઇન્દ્રિયથી જણાય છે તેનું ગ્રહણ કરવું. વળી, ઘટાદિક દ્રવ્યો છે તે બે ઇન્દ્રિય=ચક્ષુ અને સ્પર્શનેન્દ્રિય એ બે ઇન્દ્રિયથી કરીને જાણો છો=જણાય છે. એ તૈયાયિક મત અનુસરીનઈ કહ્યું=નૈયાયિક મતાનુસાર કહ્યું=ગુણ-પર્યાય એકેન્દ્રિયથી ગ્રહણ થાય છે અને ગુણ-પર્યાયના આધાર એવાં ઘટાદિ દ્રવ્યો ચક્ષુ અને સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ થાય છે એ તૈયાયિક મતાનુસાર ગ્રંથકારશ્રીએ કહ્યું છે. સ્વમતથી તો ઘ્રાણેન્દ્રિયાદિ ઇન્દ્રિયોથી પણ ગંધાદિક પર્યાય દ્વારા દ્રવ્ય પ્રત્યક્ષ થાય છે. નહીં તો ‘ફૂલ સૂંઘું છું’ ઇત્યાદિ જ્ઞાનનું ભ્રાંતપણું થાય, તેમ જાણવું. આ રીતે=ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું એ રીતે, એક-અનેક ઇન્દ્રિયગ્રાહ્યપણાથી=ગુણ-પર્યાય એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે અને દ્રવ્ય અનેક ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે એ રીતે, દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ-સહભાવી અને ક્રમભાવી-એ કલ્પનાથી જ છે. ।।૨/૧૫/ ભાવાર્થ: ગાથા-૧૪માં કહેલ કે દ્રવ્ય અને ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ વિચારવો અને તે ભેદ કઈ રીતે છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - સંસારમાં ઘટપદાદિ પદાર્થો દેખાય છે તે ઘટપદાદિ પદાર્થો દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણ સ્વરૂપવાળા છે. જેમ, ઘટ પોતે દ્રવ્યરૂપ છે, તે ઘટમાં વર્તતા રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એ ચાર ભાવો ગુણરૂપ છે અને નીલપીત આદિ પર્યાયો છે. તેમાં ઘટદ્રવ્ય રૂપાદિ ગુણોનો અને નીલાદિ પર્યાયોનો આધાર દેખાય છે. વળી,
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy