SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧૧-૧૨ તે રીતે દર્શન, જ્ઞાન, ચારિત્રની ધારા સ્વરૂપ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણો છે. ફક્ત તે તે દ્રવ્યોના તે તે ગુણોનો બોધ કરાવવા અર્થે ગુણને પર્યાયથી ભિન્ન કરીને બતાવ્યા છે. પરમાર્થથી તો પર્યાયથી ભિન્ન ગુણ નથી. આનાથી શું ફલિત થાય ? તે બતાવે છે. જેમ ઉપચરિત ગાય દૂધ આપે નહીં. તેમ પર્યાયથી પૃથક્ નહીં હોવા છતાં પર્યાયથી પૃથફરૂપે ઉપચરિત એવાં ગુણને પર્યાયની શક્તિ કહી શકાય નહીં; કેમ કે પર્યાયથી અપૃથક એવો ગુણ શક્તિરૂપ નથી, પરંતુ શક્તિના કાર્યરૂપ પર્યાયના પ્રવાહમાં ગુણ શબ્દનો ઉપચાર છે, માટે પર્યાયથી ગુણ પૃથક નથી, ઉપચારથી પૃથક્ બતાવેલ છે. માટે ગુણો પર્યાયરૂપ હોવાથી ગુણોને પર્યાયની શક્તિ કહી શકાય નહીં. l૨/૧૧થા અવતરણિકા - હવઈ જે ગુણ, પર્યાયથી ભિન્ન માનઈ છઈ, તેહનઈં દૂષણ દિઈ જઈ – અવતરણિકાર્ય : હવે જે=જે દિગંબરો, ગુણને પર્યાયથી ભિન્ન માને છે, તેહને દૂષણ આપે છે – ગાથા : જો ગુણ ત્રીજો હોઇ પદારથ, તો ત્રીજો નય લહિઇ રે; દ્રવ્યારથ પર્યાયારથ નય, દોઇ જ સૂäિ કહિઈ રે. જિનર/વશા ગાથાર્થ : જો ગુણ ત્રીજે પદાર્થ હોય દ્રવ્ય અને પર્યાયથી જુદો એવો ત્રીજો પદાર્થ હોય તો ત્રીજે નય લઈએ==ીજો નય પ્રાપ્ત કરીએ. સૂત્રમાં દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ બે જ નય કહ્યા છે. 1ર/૧રી બો : જો ગુણ, ત્રીજ પદાર્થ-દ્રવ્ય, પર્યાયથી જુદો ભાવ હોઈ, તેં ત્રીજી ના લહીઈંપામિઈ, અનઈ સૂન્નઈં તો ઢવ્યાર્થ-પર્યાવાર્થ એ બિહુ જ નય કહિયા છd, ગુણ હોઈ તો ગુણાર્થ નય પણિ કહિઓ ઈઈ. उक्तं च सम्मतौ"दो उण णया भगवया, दव्वट्ठियपज्जवट्ठिया णियया। एतो य गुणो वि हुँतो, गुणट्ठियणओ वि जुज्जंतो।।३/१०. ।। जं च पुण अरिहया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं।। पज्जवसण्णा णियया, वागरिया तेण पज्जाया" ।।३/११।। રૂપાદિકનઈં ગુણ કહી સૂત્રિ બોલ્યા નથી, પણિ “avySMવા, થપષ્ણવા” ઈત્યાદિક
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy