SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮| ગાથા-૧૫ કોઈક સ્થાને પ્રદેશાદિ દષ્ટાંતના સ્થાનમાં, ભિન્ન થાય છે=સંગ્રહાય અને વ્યવહારનય કરતાં ગમતથ ભિન્ન અભિપ્રાયવાળો થાય છે. ૩ =વળી, કહેવાયું છે – “છઠ્ઠું=છના છે અર્થાત્ નૈગમનય ઘર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોના પ્રદેશો સ્વીકારે છે. તહ પંચણૂંક અને પાંચના છે અર્થાત્ સંગ્રહનય પાંચના પ્રદેશો સ્વીકારે છે. પંવિદો તહં અને પાંચ પ્રકારના છે અર્થાત્ વ્યવહારનય પાંચ પ્રકારના પ્રદેશો સ્વીકારે છે. હોટુ પબ્લિો =અને ભાજ્ય છે અર્થાત્ ઋજુસૂત્રનય ભાજ્ય પ્રદેશને સ્વીકારે છે. તથિ સો જ પો=અને તેમાં અથવા તે જ પ્રદેશ છે અર્થાત્ શબ્દનય દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપ જ પ્રદેશને સ્વીકારે છે. સો વેવં અને તે જ છે અર્થાત્ સમભિરૂઢનય દ્રવ્યરૂપ જ પ્રદેશને સ્વીકારે છે. " વેવ=અને નથી અર્થાત્ એવંભૂતનય દ્રવ્યને પ્રદેશ જ નથી, દ્રવ્ય અખંડ જ છે તેમ સ્વીકારે છે. સત્તવૃં સાત છે અર્થાત્ આ રીતે સાત જય ભિન્ન ભિન્ન રીતે પ્રદેશને સ્વીકારે છે.” III () ફત્યાદિ વગેરે. તે માટે=પ્રદેશાદિ દાંતના સ્થાનમાં સંગ્રહાયથી અને વ્યવહારનયથી તૈગમય જુદો પડે છે તે માટે, કોઈક સ્થાને ભિન્ન વિષયપણાથી તૈગમન ભિન્ન કહ્યો છે=સંગ્રહાયથી અને વ્યવહારનયથી ભિન્ન કહ્યો છે. એ તો બે નય=દિગંબરે જે નવ નવ કહ્યા તેમાં એ બે નય દ્રવ્યાર્થિક અને પર્યાયાધિક એ બે નય, વૈગમાદિકનયથી અભિન્ન વિષયવાળા છે, તો તે કારણથી, તે દ્રવ્યાર્થિકનથ અને પર્યાયાધિકાય, અલગા કરીને નવ ભેદ નયના કેમ કહેવાય ? અર્થાત્ કહી શકાય નહીં. ૮/૧પ ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરી કે, જો સાત નયોમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો અંતર્ભાવ કરીને નવ નયની દિગંબરની પ્રક્રિયા ઉચિત નથી તેમ કહેશો તો સંગ્રહનય અને વ્યવહારનયમાં નૈગમનયનો અંતર્ભાવ થતો હોવાથી સાત નયને બદલે છ નય સ્વીકારવા જોઈએ અને જો સંગ્રહાયમાં અને વ્યવહારનયમાં નિગમનયનો અંતર્ભાવ થતો હોવા છતાં તેને જુદા સ્વીકારી શકાય તો સાત નિયોમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો અંતર્ભાવ થતો હોવા છતાં તેને જુદા સ્વીકારીને નવ નો સ્વીકારવામાં દોષ છે તેમ કહી શકાય નહીં. તેનું સમાધાન કરતાં કહે છે કે, સામાન્યથી સંગ્રહનયમાં અને વ્યવહારનયમાં નૈગમનય અંતર્ભાવ પામે છે તોપણ પ્રદેશાદિ દૃષ્ટાંતના સ્થાનમાં સંગ્રહનયના અને વ્યવહારનયના વિષય કરતાં નગમનય ભિન્ન વિષયને બતાવે છે આથી જ “ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાંથી કોના પ્રદેશો છે ?' એ પ્રકારના પ્રશ્નમાં નૈગમનય “છના પ્રદેશો છે એમ કહે છે. સંગ્રહનય પાંચના પ્રદેશો છે અને વ્યવહારનય પંચવિધ પ્રદેશો છે એમ કહે છે. તેથી તે સ્થાનમાં સંગ્રહનય અને વ્યવહારનય કરતાં નગમનય જુદો અભિપ્રાય બતાવે છે માટે સંગ્રહનય અને વ્યવહારનય કરતાં નગમનયને પૃથફ ન સ્વીકારવામાં આવે તો તે સ્થાનમાં સંગ્રહનય અને વ્યવહારનય કરતાં નૈગમનય જે જુદો અર્થ બતાવે છે તેનો બોધ થઈ શકે નહીં. માટે પ્રદેશવિષયક સર્વ નિયોની દૃષ્ટિથી બોધ કરાવવા અર્થે સંગ્રહાદિ છે નયો કરતાં નગમનયને પૃથફ સ્વીકારવો પડે. જ્યારે
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy