________________
૧૧૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૨ અવતરણિકા -
પૂર્વમાં કોઈએ શંકા કરી કે, એક વસ્તુમાં રહેલા દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનો ભેદ અને અભેદ બંને સ્વીકારી શકાય નહીં. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા -
ઇસી શિષ્યની શંકાં જાણી, પરમારથ ગુરુ બોલાઇ રે;
“અવિરોધઈ સવિ ઠામઈ દીસઈ, દોઇ ધર્મ એક તોલઇ રે' શ્રતo I૪/રા ગાથાર્થ -
આ પ્રકારની=ગાથા-૧માં બતાવેલ કે, “એક ઠેકાણે ભેદ-અભેદ માનવામાં વિરોધ છે.”એ પ્રકારની, શિષ્યની શંકા જાણી, ગુરુ સ્યાદ્વાદને બતાવનાર ગુરુ, પરમાર્થને બોલે છે સ્યાદ્વાદના તાત્પર્યને કહે છે. | સર્વ સ્થાને દરેક પદાર્થોમાં, બેઉ ધર્મ અવિરોધથી-એક આશ્રયમાં વૃત્તિપણાથી, એક તોલે દેખાય છે=ભેદ અને અભેદ-બેઉ એકસમાન રીતે જણાય છે. II૪/ચા. રબો :
એહવી શિષ્યની શંકા જાણી કરી, ગુરુ-સ્યાદ્વાદી, પરમાર્થ બોલાઈ થઈ. જે ઘટ ઘટાભાવાદિકનઈં થઘપિ વિરોધ છઈ, તેં પણિ ભેદભેદનઈ વિરધ નથી. જે માટઈં સર્વઠામઈ દઈ ધર્મ ભેદ-અભેદ અવિરધઈ-એકાગ્નથવૃત્તિપણઈં જ દીસઈ છઈ, ઈક તોલાઈં. પણિ –
અભેદ સ્વાભાવિક સાચો, ભેદ ઔપાવિક જૂઠ ઈમ કોઈ કહઈ છઈ, તે અનુભવતા નથી. વ્યવહારશું પરાપેક્ષા બહુનઈ “ગુણાદિકનો ભેદ, ગુણાદિકનો અર્ભદ’ એ વચનથી. ૪િ/ચા
ટબાર્થ :
એવી ગાથા-૧માં કહી એવી, શિષ્યની શંકા જાણી કરી, ગુરુ સ્યાદ્વાદી પરમાર્થ બોલે છે=સ્યાદ્વાદના તાત્પર્યને બતાવે છે. જે ઘટ અને ઘટાભાવાદિકનો જો કે વિરોધ છે=એક સ્થાનમાં ઘટ હોય ત્યાં ઘટાભાવ ન હોય એ રીતે જો કે વિરોધ છે, તોપણ ભેદભેદનો વિરોધ નથી=એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયતો પરસ્પર ભેદ છે અને પરસ્પર અભેદ છે એનો વિરોધ નથી.
કેમ વિરોધ નથી? તેથી કહે છે –
જે માટે સર્વસ્થાને સર્વ પદાર્થોમાં, બેઉ ઘર્મ=ભેદ-અભેદરૂપ બેઉ ઘમ, એક તોલે સમાન રીતે, અવિરોધથી=એકાકાથવૃત્તિપણાથી જ દેખાય છે. પણ, “અભેદ સ્વાભાવિક છે માટે સાચો છે, ભેદ