SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪ भेदाभेदसमर्थनोपसंहारः એ ચોથŪ ઢાલઈ ભેદાભેદ દેખાડ્યો અનઈં સપ્તભંગીનું સ્થાપન કરિઉં. ૫૪/૧૪॥ -परसमययोर्मुक्तोऽनाहूतो व्यापारः स्याद्वादपरिकर्मितधिया विवेचनात्मा यैस्ते तथा 'चरण करणानुष्ठानेनैव कृतार्था वयम्, किमस्माकं तर्ककर्कशेन वादरसिकरमणीयेन स्याद्वादेन प्रयोजनमित्येवं ज्ञानाभ्यासाद् व्यावृत्ता રૂત્યર્થઃ, ઘરળ-રસ્ય = चरण-करणानुष्ठानस्य सारं स्वजन्यफलोत्कर्षाङ्गम्, निश्चयशुद्धं परमार्थदृष्ट्याऽवदातं न तु बाह्य क्रियावल्लोकदृष्ट्यैवापाततो रमणीयमित्यर्थः, न जानन्ति = ન વિચારન્તિ, तदावरणकर्मदोषात् । एवं च तेषामल्पफलमेव चरणकरणानुष्ठानमित्यर्थः " ( उप. रह. १०३ ) इति । = इदमत्रावधेयम् – तनयेषु मातुरिव नयेषु आत्मार्थिनः समतां विना नैश्चयिकसम्यग्दर्शनं न प्रादुर्भवति। सकलनयसमत्वाऽऽनयनकृते सर्वनयरहस्यं ज्ञातुमर्हति । तदर्थञ्चाखिलनयपरिशीलनमा- कु वश्यकम्। प्रत्येकं नयेभ्यो नानादर्शनानि सञ्जातानि । ततश्चाखिलनयतात्पर्यपरिज्ञानकृतेऽखिलदर्शनपरिशीलनस्याऽऽवश्यकताऽवसेया । केवलबाह्यानुष्ठानव्यग्रतया स्व-परदर्शनशास्त्राभ्यासोपेक्षणे नैश्चयिकसम्यग्दर्शनदौर्लभ्यं स्यादिति यथाशक्ति स्वभूमिकोचिताचारपालनतः सर्वदर्शनपरिशीलनमात्मार्थि- का જૈનસિદ્ધાંતની અને પરસમયની = જૈનેતરસિદ્ધાંતની મીમાંસા (કે પરિશીલન) સ્યાદ્વાદથી પરિકર્મિત બુદ્ધિથી કરતા નથી. ઊલટું કહેતા હોય છે કે “આપણે ચરણ-કરણને આચરીએ એટલું ઘણું. માથું પકાવી દે તેવા તર્કોથી વણાયેલા સ્યાદ્વાદના અધ્યયનનું કોઈ પ્રયોજન નથી. એ તો વાદરસિયાઓનું કામ, એમને માટે રુચિકર.” આવું કહીને જ્ઞાનાભ્યાસને અભરાઈ પર ચડાવે છે. તેઓ ચરણ-કરણનું રહસ્ય જાણતા નથી. માત્ર બાહ્યક્રિયામાં રાચનાર સાધુઓ લોકોની દૃષ્ટિએ ઉપર છલ્લી રીતે દેખાતા સુંદર સારને જાણતા હોવા છતાં પણ પારમાર્થિક દૃષ્ટિએ આદરણીય એવો જે સાર છે, તેને તેઓ જાણતા નથી. એટલે કે ચરણ-કરણના અનુષ્ઠાનથી ઉત્પન્ન થનાર એવા ફળમાં ઉત્કર્ષ લાવનાર સ્યાદ્વાદમય તત્ત્વને તેઓ જાણતા નથી. કારણ કે તેઓ તે સ્યાદ્વાદમય તત્ત્વને ઢાંકનાર કર્મથી પીડિત છે. એટલે ચરણ-કરણના પાલનનું જે મુખ્ય ફળ આવવું જોઈએ તેને તેઓ મેળવતા નથી. અત્યન્ત સામાન્ય ફળ તેઓ ભોગવે છે.” ૭ સાધકને સર્વનયમાં સમતા છે = ५२९ 21 st (વ.) અહીં એક વાત ખાસ ખ્યાલમાં રાખવી કે જેમ માતાને સર્વ દીકરાઓમાં સમાન ભાવ ર. = સમતા હોય છે તેમ આત્માર્થી સાધકને સર્વ નયોમાં સમતા આવવી જોઈએ. નૈશ્ચયિક સમ્યગ્દર્શન સર્વ નયોમાં સમતા આવ્યા વિના ન આવી શકે. સર્વ નયોમાં સમતા-મધ્યસ્થતા લાવવા માટે સર્વ નયોના હાર્દને-તાત્પર્યને-રહસ્યને સમજવું જરૂરી છે. તથા તે માટે સર્વ નયોનો ઊંડાણથી અભ્યાસ કરવો આવશ્યક બની જાય છે. પ્રત્યેક નયોમાંથી અલગ-અલગ દર્શનો-સંપ્રદાયો-મતો ઊભા થયા છે. તેથી સર્વ નયોની ઊંડી સમજણ મેળવવા માટે સર્વ દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. માત્ર બાહ્ય અનુષ્ઠાનોમાં વ્યગ્ર રહીને સ્વ-પરદર્શનશાસ્ત્રોના અભ્યાસની ઉપેક્ષા કરવામાં આવે તો નિશ્ચયનયસંમત સમકિત આવવાની શક્યતા રહેતી નથી. માટે શક્તિ અનુસાર સ્વભૂમિકાયોગ્ય આચારપાલનની સાથે સાથે સર્વદર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કરવો આત્માર્થી સાધકો માટે જરૂરી છે. ♦ મો.(૨)માં ‘નયસપ્ત...' પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy