SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Tહી ' : સમુદ્રમાં તેના વિસ્તિણું તરંગોની ચપળતા થયા કરે છે, તેમ સંસાર દશાવાળા પ્રાણીચામાં જન્મ–જરા-મરણાદિ અવસ્થાઓની પલટને થાય કરે છે, જરાય સ્થિરતા નથી–ભાવ સ્થિરતાની તે વાત જ શી કરવી? જે મહાભાગ્ય પુરુષે મેહના ઉદયકાળે પણ મેહરૂપ બની વિકારી થતા નથી તેમને ધન્ય છે. પણ તેવા બહુ થોડા છે. કારણ એવા જ જે ઘણું હોય તે આ સંસાર જ કેમ હોય? તેથી તે સંસારનું અસ્તિત્વ છે. ઉપરોક્ત લેકમાં ગ્રંથકારે સંસારને ભયંકર વિસ્તિણું સમુદ્રની ઉપમા આપી–તેનાથી જીવને પ્રતિપળે સાવધાન રહેવા સૂચવ્યું. સમુદ્રમાં જેમ મહામચ્છ, અત્યંત ખારૂં જળ, ભયંકર વડવાનલ, અને વિસ્તારયુક્ત ભયંકર તરંગે હોય છે, તેમ સંસાર સમુદ્રમાં પણ મહા મેહરૂપી મચ્છ, ઈષ્ટ વિષયાદિજન્ય ખારૂં જળ, માનસિક દુઃખરૂપી ભયાનક વડવાનલ, તથા નાના પ્રકારના જન્મ, જરા, મરણાદિ દ્રવ્ય અને ભાવ અવસ્થાની પલટનારૂપી ભયંકર તરંગ સમયે સમયે ઉછળ્યા કરે છે, તેનાથી હે જીવ! તું નિરંતર સાવધ રહે! अव्युछिौः सुखपरिकरैबालिता लोलरम्यैः श्यामाङ्गीनां नयनकमबैरर्चिता यौवनान्तम् । धन्योऽसि त्वं यदि तनुरियं लब्धबोधो मृमीभि दग्धारण्यस्थककमलिनीशंकमालोक्यते ते ॥ ८८॥ - અવિચ્છિન્નપણે સુખના પૂર્ણ સાધનોથી લાલન પાલન કરેલું મનોહર અંગયુક્ત, સીઓના ચંચળ અને રમ્ય નેત્ર કમળથી નિરંતર સન્માનિત થયેલું, તારું આ શરીર સમ્યજ્ઞાનના પ્રકાશ સહિત વન અવસ્થામાં જ બળી ગયેલા જંગલમાં સ્થલ કમલિનીની શંકાથી હિરણાદિ ચપળ દષ્ટિવાળાં પ્રાણુથી દેખ્યું જશે તે શરીરને ધન્ય છે. જગતમાં એક સામાન્ય નિયમ છે કે –“જે અભ્યાસ તેવું પ્રવન, જે મનુષ્ય દુઃખ સહન કરવાની ટેવ પાડે તેજ દુઃખને શાંતપણે સહન કરી શકે, અને સુખથી ટેવાયલે મનુષ્ય સુખ જ સહે–દુઃખ નહિ. પરંતુ આશ્ચર્ય એ છે કે–પૂર્વ પુણ્યોદયથી જે મનુષ્ય સંસાર સુખના ધનભૂત સી, લક્ષ્મી આદિથી નિરંતર પરમ સુખને (પતે માનેલા) અનુભવતા હતા–તેમાં જ સદેદિત ટેવાયેલા હતા, તે જ મનુષ્ય જ્ઞાનસંપન્ન
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy