SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ રસ નથી, વચ્ચે વચ્ચે ઘુણથી છિદ્રિત છે, તેમાં પણ રસ નથી, એ એ શેલડીનો કાણે સાંઠે નામમાત્ર રૂડે ભાસે છે; પણ વાસ્તવિક સર્વ પ્રકારથી તે અસાર છે, ભેગવવા યોગ્ય નથી. પરંતુ એવા કાંણું સાંઠાને પણ જે ભાવિ બિજ અર્થે લાવે તેથી ઘણું મીઠા સાંઠા નિપજે. તેમ આ મનુષ્ય પર્યાયમાં પણ વચ્ચે વચ્ચે અનેક આપદા સાંપડે છે. અંતમાં વૃદ્ધાવસ્થા તેના વિક્રાળરૂપે ખડી છે. ત્યાં પણ સુખને સ્વાદ જીવને નથી, મૂળમાં બાળ અવસ્થા તે પણ સુખથી રહિત છે, રહી મધ્યમ અવસ્થા તે તે વળી ક્ષુધા તૃષા, પીડા, ચિંતા, અને અનેક રેગાદિ ઉપદ્રવથી છિદ્રિત છિદ્રિત થઈ રહી છે, ત્યાં પણ સુખ નથી. એમ આ મનુષ્યજીવન કેવળ દુઃખરૂપ છતાં અજ્ઞાન યોગે નામ માત્ર સુખરૂપ ભાસે છે, બાકી તે સર્વ પ્રકારે અસાર છે. આમ છતાં પણ તે મનુષ્યપણુને વિષયાદિ તુચ્છ સુખે છેડી સધર્મ સાધન કરી પરલોકના બીજરૂપ કરે તો તેનાથી સ્વર્ગ મેક્ષાદિ ઘણું મીઠાં ફળ નિપજે અને, તે જ આ અલભ્ય માનવપણાની સફળતા છે. મનુષ્યજીવનના કયા સમયને સુખનો સમય ગણ? ગ્રંથકાર સ્વયં એ મનુષ્યપર્યાયમાં રહેલા આત્માની શું શું ક્રિયા થાય છે? તે નીચેના પ્લેકથી વર્ણવે છે – प्रसुप्तो मरणाशकां प्रबुद्धो जीवितोत्सवम् । મૂઢ આત્મા દિન પ્રતિદિન સૂતાં મરણની આશંકા ઉપજાવે છે, અને જાગતાં જીવનને ઉત્સવ મનાવે છે, એવી એની અસ્થિર દશા છે. તે આ ક્ષણિક શરીરમાં તે કેટલા કાળ ટકશે? જેમ કેઈ મનુષ્ય નિત્ય પ્રતિ છુપાઈ જાય. તેના વસવાટનો સ્થિરતાવાળે કેટલે સમય સમ ? તેને ત્યાં રહેવાનો ભરોંસે શે? હે જીવ! આ વાત નિશ્ચિત છે કે આ શરીર એક દિવસ અવશ્ય તને ગમે તે સ્થળે છોડશે જ. તે હવે તારે કરવા યોગ્ય ઉચિત કાર્ય તું કરી લે! એ શરીર છવને ઉપકારક કોઈ રીતે નથી. એમ તું સમજ. તું તેને તારા પોતાના ઉપકારક કાર્યમાં લગાવી દે. - હવે કુટુંબ પણ આત્માને ઉપકારક નથી, તે કહે છે - सत्यं वदात्र यदि जन्मनि बंधुकृत्यપા પા ગિરિ પુનાનાાિર્થના
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy