SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) વર્તે છે, તે માત્ર એક ધર્મમય વૃત્તિના કારણે જ તિર્યંચાદિક જેમાં પણું એક બીજાથી નાના છોને વગર કારણે મારતા નથી, એમ જેવામાં આવે છે. તેથી નિશ્ચય થાય છે કે આ ત્રિભુવનમાં જીવને પરમ રક્ષકરૂપ માત્ર એક ધર્મ છે. આમ જ્યારે ત્રણે લેકનું રક્ષણ એક ધર્મ સ્વભાવતઃ કરે છે, ત્યારે તે તેના ઉપાસકનું રક્ષણ કેમ નહિ કરે? અવશ્ય કરશે. ધર્મ એજ પિતાને રક્ષક છે એમ સમજી તેનું પૂર્ણ ભક્તિ ભાવે સેવન કરવું એજ મુમુક્ષુને તે પરમ ઈષ્ટ છે. | હે ગુરુદેવ! સંસારમાં પ્રાણીઓ વિષયાદિ સેવન કરી પાપ જ ઉપજાવે છે ત્યાં ધર્મ સેવન કરવાનું કેમ બને? અર્થાત્ વિષયાદિ સેવવાં, અને ધર્મરૂપ પ્રવર્તવું, એ બંને શું પરસ્પર વિરોધી નથી? શિષ્યની ઉક્ત શંકાના ઉત્તરમાં શ્રી આચાર્ય નીચેનું કાવ્ય કહે છે – न सुखानुभवात्पापं पापंतद्धेतुघातकारम्भात् । नाजीर्णमिष्टान्नान्ननु तन्मात्राद्यतिक्रमणात् ॥२७॥ સુખ ભેળવવામાં પાપ નથી, પણ સુખના અનન્ય કારણરૂપ એવા ધર્મને ઘાત કરવાવાળા કાર્યાદિને આરંભ કરે એમાં પાપ છે. જેમ મિષ્ટ અન્નના ભેજનથી અજીર્ણાદિ રેગ થતા નથી, પરંતુ ગૃદ્ધિતાપૂર્વક ભેજનની માત્રા ઉલ્લંઘન કરવાથી અજીર્ણાદિ રોગ થાય છે. અજીર્ણનું કારણ મિષ્ટ ભેજન નથી, પણ આસક્તિપૂર્વક અતિ ભેજન એજ અજીર્ણાદિ રેગનું કારણ છે. તેમ હે ભાઈ! પાપનું મુખ્ય કારણ વિષયાદિ સેવન નથી પણ ધર્મને ઘાત કરી અતિ કષાય વશ થઈ અન્યાયરૂપ પ્રવર્તવું એજ છે. ઇંદ્રાદિ દે, ભેગભૂમીના જુગલીયા છે, અને શ્રી તીર્થંકરાદિ મહાપુરુષોને વિપુલ વિષયસુખસામગ્રી હોય છે. પરંતુ તેને ઉપભોગ તેમને હોવા છતાં તેથી નકદિના કારણરૂપ એ તીવ્ર પાપબંધ તેમને થતો નથી. અને તાંદુલ મચ્છાદિ અથવા પર્વતાદિ જેને અતિ તૃષ્ણ તથા મિથ્યાત્વાદિ તીવ્ર અશુભ પરિણામથી વિષયસામગ્રી નહિ હોવા છતાં વા તેનું અતિ સેવન નહિ હોવા છતાં, નકદિના કારણરૂપ એ તીવ્ર પાપબંધ થાય છે. મિથ્યાત્વ તથા કષાયાદિ અશુભ અધ્યવસાયમાં ઉલઝી સ્વશાંતિરૂપ સ્વાત્મપરિણામને ઘાત કરે એજ મુખ્ય પાપ છે. નકદિ માઠી ગતિનો મુખ્ય હેતુ પણ એજ છે. શ્રી આચાર્ય મહારાજ આ ઠેકાણે બાળ ને પ્રત્સાહન આપે છે કે હે વત્સ! “મારા વિષય છુટતા નથી, અને વિષય છેડ્યા સિવાય ધર્મ નહિ થાય એવી આશંકાથી શેકાઈ જઈ ધર્મ સેવનમાં અરુચી કરવી એ તને કઈ પ્રકારે
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy