SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૩) એ દુઃખને દૂર થવાને વાસ્તવિક ઉપાય શું હશે? ગ્રંથકાર કહે છે, સાંભળ:– हानेः शोकस्ततो दुःख लाभाद्रागस्ततः सुखम् । तेन हानावशोकः सन् सुखी स्यात् सर्वदा सुधीः ॥१८६ ॥ ઈષ્ટ વસ્તુની હાનિથી શેક અને તેથી દુઃખ થાય છે, તથા પ્રાપ્તિથી હર્ષ અને તેથી સુખ થાય છે. પણ સુબુદ્ધિમાન વિવેકી જીવ એ ઈષ્ટ વસ્તુના હાનિ તથા લાભમાં હર્ષ શેક રહિત થતું નિરંતર સુખને જ અનુભવે છે. આ જગતમાં પ્રાણીમાત્ર વ્યક્ત કે અવ્યક્તપણે સુખને જ ઈચ્છે છે. સુખને વાત દુઃખથી થાય છે. દુઃખના અનુભવકાળે જીવ શોક-ઉદ્વેગઅને કલ્પાંતાદિ કરે છે. તે શેકનું નિમિત્ત કારણ ઈષ્ટ સામગ્રીને વિયોગ છે. કારણ તેમાં જીવે સુખની ક૯૫ના ઘડી રાખી છે. જ્ઞાની આત્મા વિચાર કરે છે કે-અહે! હું મેહથી પર વસ્તુને ઈચ્છાનિષ્ટ કહ્યું છું પણ એ પર વસ્તુ ખરેખર ઈબ્રાનિષ્ટ નથી. વળી એ કઈ કાળે પણ મારી થઈ શકે, કે મારી રાખી રહી શકે એમ નથી. તો પછી તેના વિગકાળે શોક કરે એ શું મને ઉચિત છે? આમ વિચારી ઈષ્ટાનિષ્ટ પર વસ્તુઓમાં સમ્યક્ પ્રકારે હર્ષ શેક રહિત થાય તે પછી તેને દુઃખ ક્યાંથી થાય? વળી દુઃખ વિના સુખને અભાવ પણ કયાંથી થાય? જેથી વિવેક સહિત જ્ઞાની સદાકાળ સુખી છે. જે જીવ સુખી રહેવા ઈચ્છે તેણે ઉચિત છે કે-એ પર વસ્તુની હાનિ થતાં વસ્તુ સ્વરૂપ વિચારી શેક રહિત રહેવું. ઈષ્ટ પર વસ્તુના આશ્રયી છે તેની કઈ કાળે હાનિ ન થાય તેવા ઉપાયે કરી સુખી રહેવા ઈચ્છે છે પરંતુ સંસારમાં કેઈને કેઈ ઈષ્ટ સામગ્રીની હાનિ થયા જ કરે છે. જે ઈષ્ટ સામગ્રીમાં સુખની કલપના કરી તેની રક્ષા અને પ્રાપ્તિના પ્રયત્નમાં રાત્રી દિવસ જીવ પ્રવર્તિ રહ્યો છે, તે ઈષ્ટ સામગ્રી તે ખરેખર દેડકાંની પાંચશેરી ના ધડા જેવી છે. જેમ ત્રાજવામાં એક દેડકું નાખે અને બે ભેંય પડે, એ ને એ કડાકુટમાં આખો દિવસ ગાળે પણ દેડકાં વડે પૂરે પડે કદી થાય જ નહિ. તેમ જીવની ઈચ્છાનુસાર એ ઈષ્ટ સામગ્રીની પૂર્ણતા થાય એમ બનવું સર્વથા અસંભવિત છે. તેથી એ પરવસ્તુરૂપ ઈષ્ટ સામગ્રીના વિગને શેક કર વ્યર્થ છે. ઈ-સામગ્રીની આશાની મૂરણાથી રહિત થવું એ જ વાસ્તવિક સુખી થવાને એક ઉપાય છે. ઈષ્ટ સામગ્રીના વિયેગના શેક જન્ય દુઃખ કરતાં તેના સંગની ચાહના આત્મામાં ઓછી બળતણ કરતી નથી. મેહ મૂઢ જીવ સદેદિત ઉપરોક્ત ભાવમાં
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy