SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) વધે છે કે– મનુષ્યને પિતાના અંતિમ ધ્યેય સુધી કદી પણ પહોંચવા દેતી નથી. એટલા જ માટે અમે કહીએ છીએ કે એ ભેજનાદિ વિષયોમાં તું વિમેહિત ન થા! પણ એ પ્રવૃત્તિઓ કરતાં તે નિરંતર સાવધાન રહે. જગતમાં પણ દેખાય છે કે-કાર્યને અથ કાર્યમાં આવતા પ્રત્યેક વિદ્યાથી પિતે નિર્ધારીત કાર્યને સાવધતાપૂર્વક બચાવતે રહે છે. કારણ કઈ પણ બાહ્ય તેમ અંતરંગ પ્રવૃત્તિ કરતાં રાગાદિવશ થતાં મુનિત્યપણું-આત્મત્વપણું મલિન થાય છે, વિસ્મરણ થાય છે. રાજા મહારાજાઓને બાહ્ય તેમ અંતરંગ એમ બે પ્રકારના શત્રુઓ હોય છે. અન્ય રાજા કે જે પોતાના સ્થાનથી બહાર છે, તે તે બાહ્ય શત્રુ છે. અને ખાનપાનાદિ સાધક કિંકરાદિ કે જેઓ નિરંતર પિતાની પાસે જ રહે છે, તે અંતરંગ શત્રુ છે. બાહ્ય શત્રુઓનો નાશ કર્યા પછી તે રાજાને પદભ્રષ્ટ થવાને ભય નથી. પરંતુ ખાનપાનાદિ સાધક કિંકરેથી ખાનપાનાદિ કરતાં તે રાજા સાવધ ન રહે તે કઈ વેળા મરણને પ્રાપ્ત થાય. તેથી ખાનપાનાદિમાં પૂર્ણ સાવધ રહી અંતરંગ શત્રુઓથી જેમ પિતાની રક્ષા થાય તેમ પ્રવર્તવું એ તેને શ્રેયસ્કર છે. તેમ મુનિજનેને પણ બાહ્ય તેમ અંતરંગ બે પ્રકારના શત્રુઓ છે. હિંસા- બહુ આરંભઆદિ મુનિવપણાથી કેવળ વિપરીત એવા કેટલાક બાહ્ય શત્રુઓ છે, તથા ખાનપાનાદિ ક્રિયાઓમાં રાગાદિ પ્રમત્ત ભાવે પ્રવૃત્તિ થવી એ અંતરંગ શત્રુ છે. મુનિને હિંસા-આરંભાદિને ત્યાગ કરતાં બાહ્ય શત્રુઓથી પરાભવ થવાનું અર્થાતુ - મુનિવપણું કેવળ નષ્ટ થવાનું કારણ રહ્યું નથી. પરંતુ જે તે ખાનપાનાદિ ક્રિયાઓમાં પ્રમાદી થાય, અર્થાત્ સાવધાનતાપૂર્વક ના પ્રવતે તો અંતરંગ રાગાદિ ભાવની વૃદ્ધિ થઈ ક્રમે કરી મુનિર્વાણુને મલિન કરે- નાશ કરે. તેથી અંતરંગ રાગાદિ શત્રુઓથી જેમ મુનિત્વ-દશાની રક્ષા થાય તેમ ખાનપાનાદિ પ્રત્યેક સૂક્ષ્મ પ્રવૃત્તિઓમાં સાવધાન રહેવું એ જ એગ્ય છે કે જેથી આત્મદશા પ્રમત્તભાવને વશ થાય નહિ, મલિન થાય નહિ. પરંતુ ધીરે ધીરે ઉપગની નિર્મળતા થઈ વાસ્તવિક આત્મીય સતસુખને અનુભવ થાય. ગ્રંથકાર એ ભેજનાદિ પ્રવૃત્તિઓમાં પ્રસાદી નહિ થવાને ઉપાય દર્શાવે છે – अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते वचः पर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुङ्गे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कन्धे धीमान् रमयतु मनोमर्कटममुम् ॥ १७० ॥
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy