SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૧) એમ સમજીને તને કાઇ પણ ટાકત નહિ, મુનિષણામાં આમ કલ‘ક યુક્ત રહેવુ' તેના કરતાં તે નીચેની ગૃહસ્થાવસ્થા જ રાખવી ચેાગ્ય હતી. હું મુનિ ! ઊંચી મુનિપદ ચેાગ્ય ક્રિયાઓને દોષયુક્તપણે સાધવામાં તને શું સિદ્ધિ છે? એથી તેા ઉલટા તારા છતા ગુણા દબાઈ જઈ દોષા બહાર આવે છે. તથા પડિત જનાથી તું જગતમાં ટીકાને પાત્ર થાય છે. આમ દોષ યુક્તપણે મુનિપદને સેવતાં તારું તે નહિ પણ મુનિપદનું સન્માન જગતમાં તું ઘટાડે છે. અને વળી પ્રભુના દ્રાડુ કરે છે. એથી અમારી તને શિક્ષા છે કે સર્વોત્કૃષ્ટ મુનિપદને ધારણ કરી મુનિને ન છાજે એવા કિ'ચિત્ દોષને પણુ ન સેવ, અગર મુનિપદને અણુછાજતા ઢાષા જ સેવવા હોય તેા એ જગતપૂજ્ય મુનિપદને છેડી દે. સાંભળ ! ભગવાન આદીશ્વર સ્વામિની સાથે ચાર હજાર રાજાઓએ મુનિદિક્ષા ધારણ કરી પાછળથી મુનિએના સમ્યક આચાર અજાણપણાના ગે (નહિ કે સ્વ ઇરાદે−) કષ્ટ નહિં સહી શકવાથી ભ્રષ્ટ થયા ત્યારે દેવા આકાશવાણીથી તેમને કહે છે કે-“આમ સર્વોત્કૃષ્ટ પદ ધારણ કરી ભ્રષ્ટ આચરણ કરશેા તે અમે તમને ફ્રેંડ દઇશું. આમ ભ્રષ્ટપણે જ જો રહેવું હાય તા આ જગતવ`દ્ય પદને છેડી દો. (મુનિ સમાચરીના અજાણુ તે રાજાઓએ પેાતાની કષ્ટ સહવાની શિથિલતાના કારણથી તે દશા છેડી યથેચ્છ મનાકલ્પિત વેષ ધારણ કરી લીધા. ) શિષ્યના દોષને છુપાવનારા ગુરુ કરતાં ઘેાડા પણુ દોષ જોઈ તેને ઘણા પ્રકારે પ્રગટ કરનારા દુજના સારા છે, કે જેથી ધર્માર્થી પુરુષો પોતાના દોષ જાણી તેના ક્ષય કરવાના ઉદ્યમ ભણી પ્રવર્તે; તેથી દોષ પ્રગટ કરનારા દુર્જના કઇ અપેક્ષાએ ગુરુ સમાન કા કારી છે. ધર્માત્મા પુરુષો પોતાના દોષ છુપાવવાવાળા ગુરુ કરતાં દોષ પ્રગટ કરવાવાળા દુનાને ભલા સમજે છે. વળી દોષને પ્રગટ કરનાર જગતમાં જે ન હોત તેા જીવની સ્વછંદૅ દૃશા કયા મલિન છેડે જઈ અટકત એની કલ્પના પણુ અશકય છે. કારણ અનાદિ અભ્યાસરૂપ મહીજીવના એવા સ્વભાવ છે. જગતમાં ખીજા જીવાની ચાકી વિના આત્મગુણા ધરનાર જીવા બહુ અલ્પ છે. મહુધા જગતવાસી જીવા લાક નિંદ્યાના ભયથી જ પૂર્વ મહા પુરુષાએ ચાજેલી સુંદર ખાહ્ય મર્યાદામાં પ્રવર્તે છે. અને તે પણ હિતકારક છે. ભગવાનના અને આત્મમલિનતાના જીવને ભય નથી, એટલેા જગતના ભય જીવાને મર્યાદામાં રાખી રહ્યો છે; બાકી સજીવે મનેચેગ પ્રમાણે કાયયેાગને જો માકળા મૂકે તે જગતની અને જગતવાસી જીવાની કેટલી અકથ્ય અંધાધૂની થાય? દુના એક રીતે સજ્જનાની સજ્જનતાના દરમાયા વિનાના રખવાળ
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy