________________
योगसार: ५/५
अज्ञानचेष्टा विचिन्त्य पाण्डित्यमदो न कर्त्तव्यः ।
४५३
कारोऽनेन श्लोकेन हितशिक्षां ददाति - ' किमर्थं त्वं पाण्डित्यमदं करोषि ? त्वं किं स्वीया अज्ञानचेष्टा न स्मरसि ? यदि ताश्चेष्टा जना जानीयुस्तर्हि ते त्वां तिरस्कुर्युः, न कोऽपि त्वां प्रशंसेत् । त्वयाऽल्पं ज्ञानं प्राप्तं परन्तु प्रभूता असच्चेष्टाः कृताः । त्वयि गुणाः स्वल्पा दोषास्तु प्रभूताः । ततस्त्वया मदो न कर्त्तव्यः । स्वकृताज्ञानचेष्टाः स्मृत्वा त्वया स्वात्मा दोषवान्मन्तव्यः, न तु पण्डितः । इत्थं यदा त्वं स्वीया असच्चेष्टाः स्मरिष्यसि तदा त्वं मदं न करिष्यसि, प्रत्युत त्वं स्वात्मानं जुगुप्सिष्यसे ।' मदत्यागायोपदिष्टमध्यात्मकल्पद्रुमे 'विद्वानहं सकललब्धिरहं नृपोऽहं, दाताहमद्भुतगुणोऽहमहं गरीयान् । इत्याद्यहङ्कृतिवशात्परितोषमेषि, नो वेत्सि किं परभवे लघुतां भवित्रीम् ?
॥શ્॥'
अयमत्र सारः-मूढेन स्वकृतासच्चेष्टाः स्मृत्वा वैदग्ध्यमदो न कर्त्तव्यः ॥५॥ अवतरणिका - मनसः स्थिरीकरणेन तत् तत्त्वे तल्लीनं भवति । ततस्तत्त्वतल्लीनमानसेन किं कर्त्तव्यमित्युपदिशति
માને છે. તેથી ગ્રંથકાર તેને આ શ્લોકથી હિતશિક્ષા આપે છે કે ‘શા માટે તું પંડિતાઈનું અભિમાન કરે છે ? તને શું તારી અજ્ઞાન ચેષ્ટાઓ યાદ નથી આવતી ? જો લોકો તે ચેષ્ટાઓ જાણે તો તેઓ તારો તિરસ્કાર કરે, કોઈ તારી પ્રશંસા ન કરે. તેં થોડું જ્ઞાન મેળવ્યું પણ ઘણી ખરાબ ચેષ્ટાઓ કરી છે. તારામાં ગુણો થોડા છે, દોષો ઘણા છે. તેથી તારે મદ ન કરવો. પોતે કરેલી અજ્ઞાન ચેષ્ટાઓને યાદ કરીને તારે પોતાને દોષોથી ભરેલો માનવો, પંડિત નહીં. આમ જ્યારે તું પોતાની ખરાબ ચેષ્ટાઓને યાદ કરીશ, ત્યારે તને અભિમાન નહીં થાય. ઊલટું તું પોતાની દુર્ગંછા કરીશ.' અધ્યાત્મકલ્પદ્રુમમાં મદના ત્યાગ માટે ઉપદેશ આપ્યો છે, ‘હું વિદ્વાન છું, હું બધી લબ્ધિવાળો છું, હું રાજા છું, હું દાતા છું, હું અદ્ભુત ગુણોવાળો છું, હું મોટો છું એવા અહંકારથી તું ખુશ થાય છે. શું પરભવમાં થનારી લઘુતાને તું જાણતો નથી ? (૧૦/૫)'
-
અહીં સાર આ પ્રમાણે છે – મૂઢ જીવે પોતે કરેલી ખરાબ ચેષ્ટાઓ યાદ કરીને વિદ્વત્તાનો મદ ન કરવો. (૫)
અવતરણિકા - મનને સ્થિર કરવા વડે તે તત્ત્વમાં તલ્લીન થાય છે. તેથી તત્ત્વમાં તલ્લીન મનવાળાએ શું કરવું એનો ઉપદેશ આપે છે -