SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશના. ૧૧૫ તે ખુશી થઇને માતાની કન્યા તમને આપશે. ” આ પ્રકારનાં વાક્રયાથી રાજા સ્વસ્થ થઇને કહેવા લાગ્યા કે “ હે બુદ્ધિના સાગર ! તું મંત્રી છતાં મને શું દુષ્પ્રાપ્ય છે ? ” પછી સુમતિ મત્રી સ્વામીના કામમાં ઉત્સુક થઇ સુમગળ શેઅને ધેર ગયા. શેઠે તેના અભ્યુત્થાનાદિવડે સત્કાર કર્યા. એટલે અમાત્ય કહેવા લાગ્યા:– હું શ્રેષ્ઠન ! પરિણામે હિતકારી એવુ મારૂ કથન સાંભળેા. રાજાએ જ્યારથી માહનવેલી સમાન તમારી પુત્રીને જોઇ છે, ત્યારથી તે હૃદયમાં તેનું જ સ્મરણ કરતા, રાગરૂપ સના વિષાવેગથી બીજી બધી ક્રિયાઓ ભૂલી ગયા છે, માટે હું શેઠ ! તેને તમારી પુત્રીરૂપ ઔષધી જો કોઇ રીતે તમે નહિ આપે. તા સ્મરના ,, વ્યાધિથી રાજા અવશ્ય મરણ પામશે, અને તેનું મરણ થતાં આ સ્વામી હિત થયેલી પ્રજા નારા પામરો. માટે હું શેઠ ! આ ગામતના હૃદયમાં વિચાર કરીને જે ચેાગ્ય લાગે તે કરે. ” મત્રીનાં આવાં વચના સાંભળીને શેઠ મેલ્યા કે મારા પ્રાણ પણ રાજાનેઆધીન છે, તો પછી પુત્રીની તે શી વાત ? માટે રાજા એને ખુશીથી પણે. આ પ્રમાણે તે વણિકે પ્રધાનને કહ્યું, એટલે મંત્રીએ રાજા પાસે જઇને કાર્યસિદ્ધિ જણાવી. પછી તરતજ ગાંધર્વ વિવાહથી રાજા તેને પયા. અને તેના રૂપ, લાવણ્ય અને સાભાગ્યથી પ્રસન્ન મનવાળા રાજાએ તે સુંદરીનેજ સકળ અંત:પુરની અધિકારિણી બનાવી. હવે મહા તેજસ્વી રાજાએ જ્યારે તે કન્યાનું પાણિગ્રહણ કર્યું ત્યારે કુબેર શેઠના પુત્રે તેની આશા મૂકી દીધી. પરંતુ સ્મરાંધ સુંદર તા રાજાને તે પરણી છતાં શેષનાગના માથાપર રહેલ દુષ્પ્રાપ્ય મણિની જેમ તેને ઇચ્છતાજ રહ્યો. ાગરૂપ અધકારના પડળથી - તર લેાચન જેના ઢંકાઇ ગયા છે એવા તે પાતાનુ ભાવી અશુભ જોઇ નજ શકો. કહ્યું છે કે:
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy