SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૧૦૯ મીએ કહ્યું, તેમજ તેણે કર્યું. અહા ! બુદ્ધિવાળા હું બીજી સ્રી શા માટે પરણ્યા? કે જેની સાથેના અમર્યાદ વૈરથી લક્ષ્મી મારા ઘરમાંથી થાલી ગઇ. અથવા તા તેના ખેઢ કરવાથી શુ ! લક્ષ્મી જ્યારે પાતેજ જવાની ઇચ્છાવાળી થાય છે, ત્યારે તે ખરેખર ! આ પ્રમાણે ફાગઢનાં ખાનાં બતાવે છે. ” પછી તે દિવસથી દરદ્રતાથી દુ:ખી થઇને બીજાને ઘેર કામ કરતા શ્રીદેવ જીવનપર્યંત દુ:ખી રહ્યો. જે નગરમાં લક્ષ્મીને લીધે જે બીજાઓને તૃણ જેવા પણ ન્હાતા માનતા, તેજ નગરમાં અહે ! તે કષ્ટથી બીજાને ઘેર કામ કરવા લાગ્યા. માટે સ્વભાવથીજ ચપળ એવી લક્ષ્મી અબળા છતાં, ધીમાન પુરૂષ પોતાના કાને માટે પ્રતિબ`ધ રહિત થઇને તેને અનુસરે છે. રે.. કરી પગથી મારતા લક્ષ્મીએ ચિદ્રને તજી દીધા અને તેની પૂજા કરતા પણ શ્રીદેવને જે તે કારણ બતાવીને મૂકી દીધા. ઉષ્ણ પવનથી પણ તેનું રક્ષણ કરતાં સચયશીલને પણ તેણીએ તજી દ્વીધા અને યથાયાચિત દાન દેતાં અને ભાગવતાં ભાગદેવને પણ છેડી દીધા. માટે ઉછળતા લાલ જેવી ચપળ લક્ષ્મીને સ્થિર કરવાને જગતમાં કોઇ પણ ઉપાય વિદ્યમાન નથી. જે આપતા નથી અને ભાગવતે પણ નથી, તે પુરૂષ પોતાની પાસે ધન છતાં પણ સચયશીલના જેવા ગરીબ ( દિક્ ) છે. આ જગમાં સચયશીલના જેવા ઘણા માણસા છે કે જેમને છળી ( ઢંગી ) ને લક્ષ્મીએ પેાતાનુ દાસકમાં કરાવ્યું છે, પરંતુ ભાગદેવ જેવા પુરૂષા તે માત્ર પાંચ છજ હશે, કે જેમણે સ્વેચ્છાપૂર્વક તેના દાન અને ભાગમાં ઉપયોગ કરી તેને પણ છળી ( તંગી ) લીધી હેાય છે. લક્ષ્મીને પાતે ભાગવે છે અને શ્રદ્ધાથી અન્યને આપે છે તથા આપનારની અનુમેાદના કરે છે, તે પુરૂષ ભગદેવની જેમ અને લેાકમાં સુખ પ્રાપ્ત કરે છે. ઘરમાંથી લક્ષ્મી પાતે ચાલી જાય તા ભારે પરિતાપ થાય છે; પરંતુ તેને તજી દીધી હોય તા પુરૂષોને તે અનંત સુખને માટે કલ્પી શકાય છે. વળી હે વત્સ ! આધિ, વ્યાધિ, વ્યથા, જન્મ, જરા અને મરણ રહિત એવું
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy