SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના ૧૦૩ પણ પ્રિયા સહિત ત્યાં જઈને આ પ્રશ્નને ઉત્તર ભારે મેળવવો.” કોતુકીજ આળસુ હેતા નથી.” પછી પ્રશ્નાર્થ જાણવા ઉત્સુક એ ભગદેવ, પિતાની પત્નીની સાથે તરતજ ત્યાંથી પ્રયાણ કરી અનુક્રમે વિશાલશાલ નગરે પહોંચ્યા. દેવગે નગરમાં પેસતાંજ દુર્ગતિપતાકની દુગિલા નામની ગહિનીને તેમણે જોઈ અને તેને પૂછ્યું કે અહીં સંચયશીલ નામના સાર્થવાહનું ઘર ક્યાં છે? તેણે કહ્યું કે અહીં આવે, હું તમને તેનું ઘર દેખાડું. પછી તેની સાથે ભેગદેવ સાથે અને વેર આવીને આદરસહિત નમન કરી ધનસુંદરી નામની તેની સ્ત્રીને તેણે પૂછયું: “તમારે ઘેર દુગતપતાક નામને કેઈ નેકરે છે?” તેણે કહ્યું કે તમારે તેનું શું કામ છે?” એટલે ભંગદેવ શેઠે કહ્યું કે“સર્વજ્ઞ ભગવંતે દાનફળના પ્રશ્નનો ઉત્તર તે અહીં કહેશે એમ કહ્યું છે, તેથી તેને પૂછવાને માટે જ અત્યારે દશથી હું અહીં આવ્યો છું.” આ પ્રમાણે સાંભળી તે ખેદ રહિત કહેવા લાગી કે “હે ભદ્રા અમારે તે નોકર હતો, પરંતુ તેના મરણ પામ્યાને અત્યારે નવમે માસ ચાલે છે.” દુર્ગતિપતાકનું મરણ સાંભળીને ખેદ ધરતે ભગદેવ ત્યાંજ સાથે શના ઘરની પાસે એક ઘરમાં રહ્યો. અને વિચારવા લાયે કે “જેને પૂછવાને માટે આટલે સુધી હું આવ્યું, તે તે દૈવગે મરણ પામ્યો છે તે મને પ્રશ્નાર્થ કેણ કહેશે?” હવે એક દિવસે ધનસુંદરીએ શ્રેષ્ઠ પુત્રને જન્મ આપે. એટલે ધનની આશાથી દાસીએ તરતજ શેઠ પાસે જઈને તેની વધામણી આપી. પરંતુ તે તો ધનના વ્યયથી બીતે હતો એટલે મૈન ધારીને બેસી જ રહ્યું. દાસી નિરાશ થઈ વિલક્ષ મુખ કરીને જેમ આવી હતી તેમ પાછી ચાલી ગઈ. એકદા શેઠ બજારમાંથી ઘેર આવ્યા એટલે ધનસુંદરીએ ખેદ સહિત તેને કહ્યું કે “વલ્લભ! સાંભળે, પ મને પુત્ર ન હતો તે અત્યારે ભાગ્યયોગે થયે છે; છતાં તમે તેની
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy