SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૧, સૂત્ર-૧૮, ૧૯ નિષ્ફળ નથી; કેમ કે મિથ્યાઅભિનિવેશ રહિત હોવાને કારણે કંઈક ગુણકારી છે પણ જેઓને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન શું છે અને અનુચિત અનુષ્ઠાન શું છે ? તેનું અજ્ઞાન નથી છતાં કોઈક કર્મને પરવશ થઈને પોતાની શક્તિના આલોચન વગર મોક્ષ અર્થે પણ કોઈક અનુષ્ઠાન સ્વીકારે તેમાં નિયમથી અસદુઅભિનિવેશ છે, તેથી અસઅભિનિવેશથી દુષ્ટ એવું તે અનુષ્ઠાન મોક્ષને અનુકૂળ નિર્જરાનું કારણ બને નહિ, તેથી સ્થૂલથી દેખાતું ધર્મનું અનુષ્ઠાન પણ સંસારના અન્ય અનુષ્ઠાનની જેમ સંસારના ફલવાળું છે. II૧૮/૩૮પમાં અવતરણિકા - एवं सति किं सिद्धमित्याह - અવતરણિકાW :- . આમ હોતે છતે અનાભોગને છોડીને અનુચિત પ્રવૃત્તિ અનભિનિવેશથી થાય છે એમ હોતે છતે શું સિદ્ધ થાય છે? એથી કહે છે – સૂત્ર - સન્મતિ તદતોડપિ વારિત્રમ્ ૧/૩૮દ્દા સૂત્રાર્થ : તદ્વાનને પણ અનાભોગ માત્રથી અનુચિત પ્રવૃત્તિવાળાને ચારિત્ર સંભવે છે. ll૧૯/૩૮૬ll ટીકા - 'सम्भवति' जायते 'तद्वतोऽपि' अनाभोगमात्रादनुचितप्रतिपत्तिमतोऽपि, किं पुनस्तदन्यस्य इति પિશાર્થ, “ચારિત્ર' સર્વવિરતિરૂપમ્ ૧/૨૮દ્દા ટીકા : “સમ્મતિ' ... સર્વવિરતિરૂપમ્ | તદ્દાનને પણ અનાભોગ માત્રથી અનુચિત પ્રવૃત્તિવાળાને પણ, સર્વવિરતિરૂપ ચારિત્ર સંભવે છે. વળી, ત૬ અન્ય-અનાભોગ વગરના ચારિત્ર સંભવે છે તેનું શું કહેવું? એ 'પ' શબ્દનો અર્થ છે. I૧૯/૩૮૬ ભાવાર્થ - કેટલાક મહાત્મા મોક્ષના અત્યંત અર્થી છે, સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિ અર્થે સર્વ ઉદ્યમથી ઉચિત પ્રવૃત્તિ કરે છે, છતાં કોઈક સ્થાનમાં સૂક્ષ્મ બોધ ન હોય તો તે વસ્તુમાં અનાભોગથી કોઈક બહિરંગ આચરણામાં અનુચિત પ્રવૃત્તિ થાય, આમ છતાં વીતરાગના વચનમાં સ્થિર રાગ હોવાથી અને વીતરાગનું વચન સર્વ ઉદ્યમથી વીતરાગ થવા માટે અંતરંગ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવા માટે દિશા બતાવનાર છે એવો
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy