SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર–૬૨, ૬૩ ત્યાંનાં નિમિત્તોને પામીને પ્રવ્રજ્યાના પરમાર્થને પ્રાપ્ત કરી શકે છે, તેથી તેવા જીવોને આશ્રયીને પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું પરંપરાએ કારણ ભાવશૂન્ય પ્રવ્રજ્યા પણ બને છે. ૮. આમ છતાં, કલ્યાણના અર્થી જીવને પ્રવ્રજ્યાના ફળની પ્રાપ્તિ થાય તે રીતે ઉપદેશ આપવો જોઈએ; જેથી તેમની પ્રવ્રજ્યા નિષ્ફળ ન જાય. તેથી શુદ્ધ સાધુધર્મના પ્રસ્તાવમાં એમ જ કહેવામાં આવે કે તમારી શક્તિનું સમાલોચન કરીને જે પ્રકારની તમારી શક્તિ હોય તે પ્રકારના ધર્મને સેવીને પ્રવ્રજ્યાને અનુકૂળ શક્તિસંચય થાય ત્યારે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તમારા માટે ઉચિત છે, પરંતુ પ્રવ્રજ્યાના શક્તિસંચય વગર અકાળે ઔત્સક્યથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવી ઉચિત નથી. II૬૨/૪૨૯મા અવતરણિકા : - अभ्युच्चयमाह - અવતરણિકાર્ય : અમ્યુચ્ચયને કહે છે ભાવાર્થ: સૂત્ર-પ૬માં કહ્યું કે અકાળે ઔત્સુક્ય પ્રવૃત્તિકાલનું સાધન નથી, તેથી પ્રશ્ન થયો કે પ્રવ્રજ્યાની પ્રવૃત્તિકાલનું સાધન શું છે ? તેથી પ્રવૃત્તિકાલનાં સાધનો કયાં કયાં છે તે સૂત્ર-૫૯-૬૦માં બતાવ્યાં. હવે પ્રવૃત્તિકાલનું સાધન અકાળે ઔત્સુક્ય નથી તે કથનમાં જ અમ્યુચ્ચયને કહે છેતે કથનમાં જ જે અન્ય આવશ્યક કથન છે તેને બતાવે છે - — સૂત્ર -- न चैतत् परिणते चारित्रपरिणामे ।।६३ / ४३० ।। સૂત્રાર્થ -- ચારિત્રપરિણામ પરિણત થયે છતે આ=અકાલ ઔત્સુક્ય નથી જ. ||૬૩/૪૩૦|| ટીકા ઃ ‘ન ચ’ નૈવ ‘તદ્' અજાતોત્સુછ્યું ‘પરિતે' ગાઙીમાવમાતે ‘ચારિત્રપરિળામે’ ।।૬૨/૪૩૦।। ટીકાર્ય : 'ન ' ‘ચારિત્રપરિળામે' ।। ચારિત્રપરિણામ પરિણત થયે છતે=અંગાગીભાવ પ્રાપ્ત થયે છતે=પ્રકૃતિરૂપ એકમેક થયે છતે, આ=અકાલ ઔત્સુક્ય નથી જ. ।।૬૩/૪૩૦||
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy