SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકોગ. ઉપર કહયા પ્રમાણે કરવું, ઝાડો બંધ થઈ, ભુખ પણ સારી લાગશે, ધાણુ, એલ ચીકાણુ, એનો ઉકાળો કરી લેવો. પીપરમીટ ૧ ભાગ, કેલવાટર ૨ ભાગ એ બેઉ બે પિસા ભાર પાણીમાં નાંખી આપવાં, ચાર પૈસા ભાર દહીં લઇ તેમાં એક પિસાભાર ખસખસ વાટી નાંખો આપવું બાળકના રેગ–ઘણું કરી બાળકોની તબીયતને પ્રકાર જોઇ તે પ્રમાણે તજવીજ ન રહેવાથી એ રેગ થાય છે. તથા તેના બીજા પણ કેટલાક કારણે છે. એકતા તે અવસ્થામાં ઘણું કાળજીથી સંભાળ કરવાની તે સ્ત્રીના સ્વાધીન હોય છે. અને બાળકને તે બોલવાની શક્તિ નથી હતી એ ખુલેજ છે, ત્યારે તેના જેવા વગેરે કારણે ઉપરથી અટકળ વડે અંતરના રોગ જાણવા જોઈએ, તેમાં વળી એસડાના ઉપાય જોઈએ, તે આસ્થા રાખી તરત બની સકતા નથી, કારણ અવધડ સ્ત્રીઓને બાહરની તથા નજરની પીડા વગેરે ઉપર જેવી વધારે શ્રધ્ધા બેસી ગયેલી હોય છે તેટલી એસિડના ઉપાયો ઉપર નથી હતી, તેથી ઘણી જરૂરના જે એસિડના ઉપાયો તે કરવા પહેલાં ભભુત, ધૂપ, દીપ એ બાબતના પાયે પહલાંથી કરે છે, આ તરફ બાળક અને વસ્થામાં સાત ધાતુનું ઘણું સુવાળાપણુ તથા સીથલપણું હોય છે, તેથી વ્યાધીનુ જેર તરત વધી પડે છે, તથા અનાડી વિદેના એસડોથી વિકેપ પણ થાય છે, બીજુ એવુકે કઈ માતાના દૂધમાં દેષ હોય છે તે ધ્યાનમાં આવતું નથી, કેટલાએક શ્રીમંતોના ઘરમાં ધવરાવવા સારૂ દાઈ રાખે છે, તેનું દૂધ બાળકને માફક આવતું નથી, તથા જેવુ માતાનું દૂધ હીતકારી થાય છે તેવું દાઇનું દુધ સુખાકારી થતું નથી, પછી એક દાઈનું ઠીક ન પડવાથી બીજી રાખવી, તેનું પણ માફક ન આવતાં ત્રીજી, ચેથી એવું થવાથી બાળકની તબીઅત બગડે છે. તે ઠેકાણે આ. વવી ઘણી કઠણ એમાટે માતાનુજ દૂધ જોઇએ, ગધેડીનું દૂધ બાળકના હકમાં સાફ છે, કારણ તે ધ અંગ ઉપરના દૂધની પેઠે જ પાતળું છતાં તેમાં ક્ષારને અસર વિશેષ હોય છે, તેથી તે વીકાર કરતું નથી ગાયનું દૂધ પાવું પડે તો એકજ ગાયનું પાતા જવું તે ગાયને પસલી બે પસલી સુવા અને કાચુ મીઠું એક છે તથા તુવરનાં તિરાં ખવરાવવાં, જે ગાયના દૂધ ઉપર માખણ ઘણું બેડું આવે છે તે ગાયનું દૂધ પાવું, એવા પીવાના દુધના નુકસાનથી એવું થાય છે, કે પ્રથમ પેટમાં ઘણું દુખવા લાગે છે, તેથી તે છોકરૂં અતીશે રોવા માંડે છે, તે ઉપર બરાબર ઉપાય ન થાય તો તે કીરમ દિવસે દિવસ વધારે થઈ કસ્ટસાધ્ય થાય છે, તથા તે પેટ દુખવાની તેને ટેવ લાગુ થાય છે પછી છોકરૂ રડકણું છે એવું જાણી તેને અફેણ આપે છે, તેથી તે શક્તિ વિનાને થઇ ઊલટી તથા ઝાડ કબજ એવા અનેક વિકાર તે બાળકને થાય છે. ધાવણા બાળકને ગાયનું દૂધ પાય છે. તે ઉપરની મલાઈ સારી પેઠે કાઢવી For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy