________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૨
યુગાદિ દેવને દીક્ષા બાદ ૪૦૦ દિવસના ચેવિહાર
ઉપવાસનું પ્રથમ પારણું ઈશુરસથી કરાવ્યું! (૪૪) ધન્ય છે ધર્મચિ અણગારને કે જેઓએ જીવે
પરની અત્યંત કરૂણાથી ઝેરી તુંબડાનું શાક પેટમાં
પધરાવી અનશન કરી અનુત્તર વિમાનમાં પહોંચ્યા ! (૪૫) ધન્ય છે ક્ષમાભંડાર ખંધસૂરિના પાંચસે શિષ્યને
કે જેઓ ઘાણીમાં પીલાતાં પીલાતાં સમભાવથી
કેવલી બની સિદ્ધિ વધુને વર્યા! (૪૬) ધન્ય છે સમતાના સાગર બંધકષિને કે જેઓના
શરીરની આખી ચામડી રાજાના સેવકે ઉખાડવા આવ્યા તે તેઓને ભાઈથી પણ ભલા માની સમ ભાવથી ઉખેડવા દીધી અને પોતે કર્મની સંપૂર્ણ
ખાલ ઉતારી ભવસાગર તરી ગયા! (૪૭) ધન્ય છે ગુણવંતા ગજસુકુમાલ મહામુનિને કે જેઓ
સેમિલ સસરાએ કરેલા ભયંકર મરણાંત ઉપસર્ગને
સમભાવે સહન કરતા કરતા સિદ્ધિગતિને વર્યા! (૪૮) ધન્ય છે ઝાંઝરિયા રાષિને કે જેએનું શિર રાજાએ
તલવારથી ઉડાવી દીધું છતાં સમતારસમાં ઝોલતા
રહી તત્કાળ કેવળજ્ઞાન પામી મેલ મહેલમાં પધાર્યા ! (૪૯) ધન્ય છે મેતારજ ઋષિને કે સનીએ મનમાં શંકા
લાવી ભર તડકામાં મુનિરાજને ઉભા રાખી માથા ઉપર લીલી વાધર બાંધી તેથી મસ્તક ફાટી જવા
For Private and Personal Use Only