________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ લાગતા નથી. જીએ કરેલાં કૃત્યે પ્રમાણે કર્મને બંધ પડે છે, અને તે કર્મોના બંધન મુજબ જીવનું ઘડતર થાય છે. આમાને સમયે સમયે સાત અથવા આઠ કર્મોના બંધ અને આઠનો ઉદય એટલે ભેગ અને આઠ કર્મોની નિર્જરા આ બધું આત્માને દરેક સમયે થાય છે. આત્માને સમયે સમયે જ્ઞાનાવરણીય કર્મથી અજ્ઞાન પણું, દર્શનાવરણયકર્મથી અદર્શન, વેદનીય કર્મથી સુખ અથવા દુઃખની વેદના, મેહનીય કર્મથી મમત્વભાવ. આયુકર્મથી જીવન. નામ કર્મથી શરીરાદિવસ્તુ, ગોત્ર કર્મથી ઉંચ અથવા નીચ કુળ, અંતરાય કર્મથી દાન લાભ વિગેરેમાં અંતરાય. આ બધું હમેંશા ચાલુ જ છે. એક સાથે બધું ભેગવાય છે, કારણ કે આઠ કમેને ઉદય ચાલુ છે. આ કમેને અબાધા કાળ પૂરો થાય ત્યારે તે તે કર્મ ઉદયમાં આવે અને ફળ આપે.
આત્માએ કર્મબંધ વખતે જે સ્થિતિ બાંધી તે સ્થિતિવાળું કર્મ તરત ઉદયમાં ન આવે પણ તેને અવસર આવે ત્યારે ઉદયમાં આવે અને ફળ આપે, અવસર ન આવે ત્યાં સુધી તે તે કર્મ સત્તામાં પડ્યું રહે, એટલે તે કર્મ આત્માને ચુંટી રહે. જ્યાં સુધી તે ફળ ન આપે તે કાળને અબાધા કાળ કહેવાય છે. જેમ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તર કડાક્રોડી સાગરોપમની છે. તે તેને અબાધાકાળ સાત હજાર વર્ષને હોય છે. ત્યાં સુધી કર્મ ઉદયમાં ન આવે. તેમ જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ત્રીશ કાડાઝાડ સાગરોપમની છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધેલ કર્મ તે કર્મ ત્રણ હજાર વર્ષ સુધી ઉદયમાં ન આવી શકે એમ કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ મધ્યમ ને જઘન્ય પણ હોય છે. જઘન્ય સ્થિતિ બધાની
For Private and Personal Use Only