SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) જિનેશ્વરનું પૂજન, નમન કરવાથી, તપસ્વીઓની સેવા કરવાથી, સિદ્ધાંતનું (ધર્મશાસ્ત્રનું) શ્રવણ કરવાથી, અપૂર્વ તત્વજ્ઞાનના શાસ્ત્ર ભણવાથી, તણા પ્રશમ, સંવેગપૂર્વક મન, ઈદિને સંયમ કરવાથી થાય છે. પુત્ર ! આ કાર્યમાં તમે પ્રયત્ન કરે. * માતાના માયાળુ વચને સાંભળી ધનદેવાદિ પુત્રોએ નમ્રતાથી કહ્યું. માતાજી ! કર્તવ્યાકર્તવ્ય સંબંધી આપ અમને નહિં કહે તે બીજું કશું કહેશે? પ્રેમાળ માતા પણ પુત્રોને ખરા હિતની ઉપેક્ષા કરે તો જરૂર તે પુત્રો ભવફૂપમાં ડૂબી મરવાના જ, આપ અમારા હિત માટે કહે છે. આપનું વચન અમારે શિરસાવંઘ છે. આપ જે આજ્ઞા કરો તે આ, આપના બાળકો ઉઠાવવાને તૈયાર છે. વિનય ભરેલાં પુત્રનાં વચન સાંભળી માતા ઘણુ ખુશી થઈ. પિતાના પતિની પાસે જઈ, પુત્રના હિત માટે તે આ પ્રમાણે કહેવા લાગી. સ્વામીનાથ ! પૂર્વ સુકૃતના કારણથી ગૃહસ્થાવાસના ફળરૂપ આપણે ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભેગાદિના સાધનો આ ભવ માટે ઉપગારી છે, પણ પુત્રોના બને ભવ સુખરૂપ નીવડે તે માટે તેઓને ધમમા પણ જવા જોઈએ. આપણે જે એક જિનમંદિર બંધાવ્યું છે તે તેની પૂજાદિ કરવામાં તત્પર થઈ, આ પુ ધર્મના માર્ગમાં કાયમ બન્યા રહે. ( શ્રેણીને તે વાત યોગ્ય લાગી. પત્નીનું કહેવું માન્ય કરી, તે શહેરના રાજાની અનુમતિ લઈ ઊંચા શિખરવાળું એક જિનમંદિર થોડા વખતમાં તૈયાર કરાવ્યું. તે મંદિરમાં શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી સ્થાપન કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાન વખતે સંઘભકિત, અમારી પડહ અને યાચકોને ધન આપવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. - ગૃહવાસમાં રહેલા ગૃહસ્થનું આ શુભ કર્તવ્ય છે. આથી ઉત્તરો પર આગળ વધતાં આત્મઉજ્વળતા થાય છે. પિતાના જન્મનું કે જીવિતવ્યનું સદુપયોગીપણું કરવા નિમિત્તે પુત્રાદિ સહિત કી નિરંતર ' For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy