SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૮) પ્રમાણે બોલતી કુપિત થયેલી દેવીએ, રૂદન કરતા તેના પતિને તેની આગળ લાવી તેના દેખતાં જ મારી નાંખે. ઘરમાં જે સારભૂત લક્ષ્મી હતી તે સર્વ લુંટાવી દીધી–અપહરણ કરી લીધી. છેવટે શીળવતીને ત્યાંથી ઊપાડીને સિંહ, વાઘ, વરૂ ઇત્યાદિ હિંસક પ્રાણુંઓના ભયંકર શબ્દવાળા વનમાં ફેંકી દીધી. હાથમાં લઈ દેવી ત્યાં પણ તેને બીવરાવવા લાગી, અને કહેવા લાગી કે હજી પણ મને નમસ્કાર કર, નહિંતર તારા ઇષ્ટદેવને યાદ કર. શાળવતીએ કહ્યું. દેવી ! તારે જોઈએ તેમ કર. મને પૂછવાની તને કાંઈ જરૂર નથી. જેમ તેમ મરવું તે. છે જ, તે પછી પતાપ શાને ? धीरेण वि मरियव्यं काउरिसेण वि अवस्स मरियध्वं । दुन्हँपि मरियवं, वरं खु घिरतेग मरिउ ॥१॥ ધીર મનુષ્યોને પણ મરવું છે અને કાયર પુને પણ અવશ્ય મરવું છે. બન્ને જણને પણ મરવું તે છે જ, તે ધીરપણે ભરવું તે જ નિચે ઉત્તમ છે. આ પ્રમાણે પિતાનો નિશ્ચય દેવીને જણાવી સાહસિકના નિધાન સરખી શીળવતી પોતાના મનને સંબોધવા લાગી. હે જીવ! મિથ્યાવને આધીન થઈ ફરી આવા ક્રૂર પરિણામવાળા અને નિર્દય મનના દેવમાં દેવબુદ્ધિ ન કરીશ. મિથ્યાત્વ કે અજ્ઞાન દશામાં કરેલ કમને જ આ વિપાક છે. સમભાવે સહન કરતાં તે કર્મો આ દેવીની મદદથી નિકરી શકાશે. આ અવરે કુળદેવી, જ્ઞાનથી તેના દઢ નિશ્ચયવાળા માનસિક વિચારને જાણી શાંત થઇ, તેના પ્રબળ સત્વવાળા પરાક્રમથી તુષ્ટમાન થઈ દેવીએ સર્વ ઉપદ્રવ દૂર કર્યા. અને તે શીળવતીના ગુણની સ્તુતિ યાને પ્રશંસા કરતી આ પ્રમાણે કહેવા લાગી. સુતનું ! ધમમાં સ્થિરતા જોઈએ તે તે તારા જેવી જ હેવી એ સર્વ ઉ આ મ તારા જેવી ૧ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy