________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
કરી નથી અને તને નજરે દીઠે પણ નથી તેનાં પાણી (હાથ), વાણી અને તે નિષ્ફળ જ છે.
હે નાથ જેણે મન, વચન, કાયાએ કરી નાથપણે તારુંઆરાધન નથી કર્યું તે જ આધિ, વ્યાધિથી વિધુર (દુઃખીયા) થઈ ઘણું કાળીપર્યંત દુઃસહ દુઃખ સહન કરે છે.
હે પ્રભુ આ દેહનું જે થવાનું હોય તે થાઓ. આ અવસરે તું જ મારે માતા, પિતા, બંધુ, પ્રભુ, ગુરુ અને શરણભૂત છે. તારા પ્રત્યે જ હું એકાગ્ર ચિત્તવાળી છું.
હે દેવેન્દ્ર મુનીંદ્ર-નમિત ચરણકમળ મુનિસુવ્રતસ્વામી ! મારા અવિનયની ક્ષમા કરી, મને જલદી નિર્વાણ સુખ આપે એ જ મારી તારા પ્રત્યે અંતિમ યાચના છે. આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીની ગંભીર વાકોથી સ્તવના કરી તે સુંદરી મંદિરની બહાર આવી. રાજા મહસેન પણ તેના રૂપમાં આસકત થઇ તે ન દેખે તેમ એક બાજુના ભાગમાં છુપાઈ રહ્યો. અને હવે પછી શું થાય છે તે જોવા વિશેષ ઉસુક બન્યા.
For Private and Personal Use Only