SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) રત્નત્રયનું આરાધન કરનાર યા કરવા ઈચ્છા કરનાર જીવોએ ગુણાનુરાગી થવું. ગુણ જોવાની ટેવ કે ગુણ લેવાની ટેવ પાડવી. જે ગુણ મેળવવાની ઈચ્છા હોય તે ગુણને ધારણ કરવાવાળા મહાપુરૂષની સેવા કરવી. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમનું બહુમાન કરવું. ત્યાગી વર્ગને દાન આપવું. તેમના સહવાસમાં–સોબતમાં આવવું ગુણ અને ગુણુઓનું સ્મરણ કરવું. આ પ્રમાણે તેમાં તન્મયતા–તપરાયણ થતાં તે જ ગુણવાન પોતે થઈ શકાય છે. તીર્થનું મૂળ મુનિઓ છે. તેઓને અશન-પાન-વસ્ત્રાદિ આપતાં ચારિત્ર પાળવામાં કે શરીર ટકાવી રાખવામાં અવછંભ(આધાર)ભૂત થવાય છે. તેઓ જ્ઞાન-ધ્યાનમાં વધારો કરે છે. અન્યને ઉપદેશ આપે છે. આવી રીતે તીર્થની ઉન્નતિ કરે છે. તેમને આપેલું દાન તીર્થ ઉન્નતિમાં કારણભૂત છે. કેવળ જ્ઞાનીઓના વિરહ કાળમાં પરમ ઉપગાર કરનાર મુનિઓ છે, આર્ય ક્ષેત્રમાં ધર્મની ધુરા તેઓએ ટકાવી રાખી છે. ધર્મનું રક્ષણ તેઓએ જ કર્યું છે. વિષમ કાળમાં શુભગતિને માર્ગ તેઓને આધારે જ ખુલ્લો રહેલો છે. ચરમ તીર્થંકર મહાવીર દેવે પણ, પાછલા ભવમાં-મુનિઓને દાન આપવાથી અને તેમની પાસેથી ધર્મ શ્રવણું કરવાથી જ સમક્તિ પ્રાપ્ત કર્યું હતું. મહાનુભાવો ! ધર્મનાં ચાર અંગ મેળવવા ઘણું મુશ્કેલ છે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મશ્રદ્ધાન અને તે પ્રમાણે ઉત્તમ વર્તન. આ દુર્લભ અંગે પણ પ્રયત્નથી સુલભ યાને સુસિદ્ધ થઈ શકે છે. ચુલગ, પાસા વિગેરે દશ દષ્ટાંતે દુર્લભ માનવ જિંદગી પામીને, સુકત કરી તેને અવશ્ય સફળ કરવી જોઈએ. સુદર્શન નલીની પુત્ર પર રહેલા જલબિંદુની માફક, જ્યાં સુધી આ જીવિતવ્ય ઉડી ગયું નથી, કરકર્ણની માફક ચંચળ લક્ષ્મી ચપળતા પામી નથી અને ગિરિ-સરિતાના ચપળ પ્રવાહની For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy