________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩)
લાગ્યો. અનુક્રમે અરિહંતાદિ વિશ સ્થાનકનું સમ્યફ આરાધન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. બીજા પણ મૃતવિધિ અનુસાર સિંહનિક્રિીડિતાદિ અનેક તપ કર્યા. છેવટની અવસ્થામાં બરતિલક પર્વત ઉપર આરૂઢ થઈ, પર્વતની માફક દઢ ચિત કરી, અણુસણ કરવાપૂર્વક, ધર્મધ્યાનની પરાકાષ્ટામાં આ દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયાં.
દેવ આયુષ્ય પૂર્ણ કરી, આ ભારતવર્ષના હસ્તિનાપુર શહેરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવી રાણીની કુક્ષીમાં શાંતિનાથ તીર્થકરપણે ઉત્પન્ન થયાં. ગુહાવાસમાં પાંચમા ચક્રવતી રાજના પદનું પાલન કરી, અવસરે શ્રમણ માર્ગ અંગીકાર કર્યો. કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સોળમા શાંતિનાથ તીર્થંકરના મહાન પદને પામી, અનેક જીવને દેશાનામૃતથી શાંત કરી નિર્વાણ પદ પામ્યા.
આ પ્રમાણે અભયદાનનું માહામ્ય વિસ્તારપૂર્વક તમને સંભલાવ્યું. તમારે પણ તમારી શકિત અનુસાર જીવોને અભયદાન આપવા માટે પ્રયત્ન કરવો.
વખત થઈ જવાથી મુનિશ્રીએ પિતાને ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે ગુરુશ્રીને વંદન કરી, સાર્થવાહ, સુદર્શના, શીળવતી વિગેરે પિતાના નિવાસસ્થાન તરફ આવ્યાં, અને જ્ઞાન, ધ્યાન, દેવપૂજન, ઉપદેશનું મનન અને વિચારાદિમાં દિવસ વ્યતીત કર્યો.
ત્રીજે દિવસે પાછા સર્વે ઉપદેશ શ્રવણ કરવાને ગુરુશ્રી પાસે હાજર થયા, ગુચ્છીએ પણ પિતાને સદુપદેશ આગળ ચલાવ્યું.
For Private and Personal Use Only