SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪) સૂર્યને માથે આવી વિપત્તિ આવેલી જાણી, સર્વવિકાસી કમળોનાં વદન મ્યાન થઈ ગયાં. અથવા સ્વામીના વિરહથી સેવકોને વૈભવની હાનિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એ અવસરે પત્રોની છાયાવાળા વૃક્ષમાં, પંખીઓ આમતેમ દેડાતાં છુપાવા લાગ્યાં. ખરી વાત છે કે-પંખીઓનું સ્થળ પુન્યવાન ના સ્થળની માફક નિરંતર ઊંચું જ હોય છે. જેમ સમ્યકૂવને નાશ થતાં, મિથ્યાત્વ ફેલાય છે તેમ સૂર્ય કિરણના વૈભવને નાશ થતાં પૃથ્વી ઉપર શ્યામ અંધકાર ફેલાવા લાગે. થોડા જ વખતમાં પૃથ્વીવલયને આનંદ આપનાર ઉત્તમ સદ્ગુસ્ની માફક નિર્મળ કિરણ વાણું)ના સમૂહથી(અજ્ઞાન)અંધકારને દૂર કરો ચંદ્રનો ઉદય થયો. જેમ ઉત્તમ શિયળ ગુણને ધારણ કરનાર સ્ત્રી ઉભય કુળને પ્રકાશિત કરે છે તેમ તે ચંદ્ર પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રસરતી પિતાની ચાંદનીવડે ગગનતળને પ્રકાશિત કરવા લાગ્યો. ચંદ્રકિરણવડે આશ્વાસન પામેલાં ચંદ્રવિકાશી કમળ વિકસિત થવા લાગ્યાં. ખરી વાત છે કે યોગ્ય સ્વામીના દર્શનથી સર્વ જી હર્ષિત થાય છે. પ્રકરણ ૧૦ મું. માતાને મેહ-પુત્રીને દિલાસો. ચંદની ચાંદનીના પ્રકાશથી આ પૃથ્વીતળ જાણે હસતું હોય નહિ તેમ રાત્રીના વખતમાં પણ પિતે સંગ્રહ કરેલા પદાર્થોને પ્રગટ રીતે બતાવી રહ્યું હતું. જ્યારે આખા શહેરમાં શાંતિ પ્રસરી રહી હતી ત્યારે દેવી ચંદ્રલેખાના નેત્રમાંથી ઊના ઊનાં અ_જળ વહન થઈ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy