SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. કહેવાની રજા લઉં છું કે આખરે પુરુષ તો વિતરાને જ ધણી છે, અને ઉપભેગનું સ્વામિત્વ તે સ્ત્રીઓનું જ છે. તેવા વિત્તશાશ્ચવાળાને પણ કેઈકવાર પોતાનાં સ્ત્રીસંબંધીઓને રાજી કરશાનું મન થઈ આવશે. તે તમારે હક તમને મળશે જ. કેઈ પણ પ્રકારનું શાક્ય, કે જે અસત્યનું એક સ્વરૂપ છે, તે ઝાઝું ટકી શક્યું જ નથી. લેકમતની ઝીણું અને ઊંડી નજર તે તરફ આકર્ષાય છે, અને મને કે કમને, પ્રેમથી નહિતો લેકલાજથી, પુરુષને શાક્યને ત્યાગ કરવાની જરૂર પડે છે. વળી આ પ્રસંગ આવે ત્યારે પુરુષને કેમ વશ કરે તે તમે ક્યાં નથી સમજતાં? ધેર્ય, કેમલતા, રસિકતા, અને જનસ્વભાવનું સ્વાભાવિક જ્ઞાન, જેને તમારામાં અખૂટ ભંડાર ભર્યો છે, તેમાંથી થોડુંક ખરચીને લક્ષ્યપૂર્વક વર્તન ચલાવવાથી તમે પુરુષને ક્યારે ઠેકાણે નથી લાવી શકતાં? તમે હમેશાં પશ્ચાત્તાપ કરાવી પુરુષને તમારા તરફ ઈનસાફ કરતાં શીખવી શકે છે તમારા દઢ મનેબલથી, તમારા આધ્યાત્મિક તેજથી, તમારા ઉદાર દીલથી, તમે તમારા પુરુષને તમારા “દાસ” બનાવી શકે છે, અને સાંસારિક જીવનના અભેદ્ય પ્રદેશમાં તમારા વિનયથી, તમારી રસિકતાથી, તમારી દક્ષતાથી, સ્ત્રીત્વને વિજયવાવટે જ્યારે એગ્ય લાગે ત્યારે તમે ફરકાવી શકે છે. પરતુ અસ્વાતવ્ય અપકર્ષકારક છે એનું શું? આ સવાલ જરાક કઠિન છે, અને આ પ્રસંગે તેની ચર્ચા કરવા જાઉં તે આ બે બેલ” એટલા લાંબા થઈ જાય કે તમે જરૂર મને શાપ દે. પરંતુ આટલું કહેવાની રજા લઉં કે પ્રત્યેક ઉન્નત સ્થળ ઉપર ટકી રહેવા માટે આપણે આપણા સદ્ગુણને વિકાસ કરવાની હમેશાં જરૂર છે. અને “અસ્વાતંત્ર્ય હોવા છતાં સ્ત્રીત્વના સગુણેને વિકાસ એ સુપ્રાપ્ય છે કે અપકર્ષને ભય રાખવાની જરુર નથી. તમારા સગુણેને ભંડાર જેમ બને તેમ વધાર, તે ઉપર તમારું સ્વામિત્વ અચળ રીતે જમાવવું, અને તમારી For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy