________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४२ સાતે શુદ્ધિ સમાચરી રે, પૂછશું અમે રંગે લાલ
આ સાત શુદ્ધિનાં નામો નીચે મુજબ છે – અંગ રવાસન મન ભૂમિકા, પૂજે પકરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા શુદ્ધિ સાત પ્રકાર. ૧.
૧. અંગશુદ્ધિ–શરીર બરાબર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કારા રૂમાલથી શરીરને બરાબર લુંછવું તથા નહાવાનું પાણી ઢળતાં જીવ જંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું.
૨. વિશુદ્ધિ-–પૂજા માટે પુરૂષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવો. પુરૂષોએ મુખકેશ માટે રૂમાલ રાખવાને નથી. પૂજા માટેનાં વસ્ત્રો સફેદ, ફાટ્ય કે બળ્યા વગરનાં તથા સાંધા વિનાનાં રાખવાં. વસ્ત્રો હંમેશાં ચોખાં રહે તેમ કરવું, એ વસ્ત્રો પૂજાના કામ સિવાય બીજા કોઈ પણ કામમાં વાપરવા નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નહાયેલાને અડવું નહિ.
For Private and Personal Use Only