________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
તેણે સૂરિજીનું સારું સન્માન કરી પૂછયું કે મહારાજ ઇશ્વર રૂપી અરૂપી.
સૂરિજી-ઈશ્વર અરૂપી છે.
ખાનખાના–જે અરૂપી છે તે એની મૂર્તિ શા માટે કરાવવી ?
સૂરિજી—“મૂર્તિ એ ઈશ્વરનું સ્મરણ કરાવવામાં કારણભૂત છે. મૂર્તિને જેવાથી તેની હાજરી નજર આગળ દેખાય છે.
ખાનખાના–એ વાત સાચી પણ મૂર્તિની પૂજા શા માટે કરવી જોઈએ?
સૂરિજી–મુર્તિની પૂજા જે લોક કરે છે તે મૂર્તિની પૂજા નથી કરતા પરંતુ સુર્તિદ્વારા ઈશ્વરની પૂજા કરે છે. ' સૂરિજીના આ જવાબથી ખાનખાનાને ઘણું જ પ્રસન્નતા થઈ
હિીરવિજયસૂરીશ્વર મહાન વિચક્ષણ, શાસનના પ્રેમી અને જગતનું કલ્યાણ ઇચ્છનાર હતા. અને તેથી જ તેઓ જેને દીક્ષા આપતા તેને પવિત્ર ઉદ્દેશથીજ આપતા. તેઓ નિસ્પૃહી અને સાચા ત્યાગી હતા. ધર્મના સિદ્ધાંતો તેઓ સ્પષ્ટ સમજતા હતા અને તેમના ઉપદેશથી સંખ્યાબંધ મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થયા હતા. તેમને ન હતો શિવેને લેભ કે વ્હેતી માનની અભિલાષા. માત્ર જગતના જીવનું કલ્યાણ કેમ થાય એજ ભાવના રમી રહી હતી.
સૂરિજીએ ઘણા ભવ્યાત્માઓને દીક્ષા આપી ઉદ્ધાર
For Private And Personal Use Only