________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
(ચીકણી) સોપારી, કાકંડાની અઘાર, કૌઅચ, તાજી ઠારેલી ચિતાના ધૂમાડાની ભેગી કરેલી ચીકણી મેશ, તથા જંગલમાં ઉત્પન્ન થએલા કપાસના રૂની વાટને દીવો સળગાવી તેની પડેલી સમાતૃકાના મંદિરમાં અંધારી આઠમ (અથવા અંધારી ચઉદશીના દિવસે મહાવૃત (તાજી પરીમાં રહેલું?)માંથી ઉદ્ભવેલા એવા આ કાજલને મનુષ્યની ખેપરીને વિષે પાડવું, આ રીતે પાડેલા કાજલથી ત્રિશુલ કરવાથી અને આંખમાં આંજવાથી સામા પક્ષને એ અંજન ભય ઉત્પન્ન કરનારું થાય છે. કાજલ પાડવાની ક્રિયા ઈશાન ખૂણ તરફ મુખ રાખીને કરવી.-૨૧, ૨૨.
तत्कज्जलोद्धार मन्त्रः-ॐ नमो भगवति ! हिडिम्बवासिनि! अल्लल्लमांसप्पिये! नहयलमंडलपइट्ठिए तुह रणमत्ते पहरणदुछे आयासमंडि! पायालमंडि सिद्धमंडि जोइगिमंडि सव्वमुहमंडि कज्जलं पडउ स्वाहा ।।
ચિતાના અગ્નિવડે સળગાવેલા બહેડાના ઝાડની જમણી ડાળની બાજુએ તૈયાર થએલી મેશ, અંકોલ બીજમાંથી ઉત્પન્ન થએલું તેલ, પારે, કાળી બિલાડીની ઓળ તથા ઘુવડનાં આંસુથી તૈયાર કરેલી એવી ગોળીને ત્રિલેહ (તાંબુ બાર ભાગ, રૂપું સોળ ભાગ તથા સેનું ચા૨ ભાગ)થી મઢીને, તે ત્રિલેહથી મઢેલી એવી ગોળીને પોતાના મુખમાં રાખવાથી અદશ્યપણાને પમાય છે.-૨૩-૨૪.
સફેદ સરપંખાનું મૂલ તથા સફેદ એખરાનાં બીજને ગ્રહણ કરીને જંગલમાં ઉત્પન્ન થએલી એવી પદકીના રસમાં વાટીને મુખમાં રાખવાથી વીર્ય સ્તંભન થાય છે-૨૫.
કાળા બિલાડાની જમણુ જગના હાડકાનાં કકડાને ગ્રહણ કરીને તે કકડાને) પુરૂબની કમ્મરે બાંધવાથી વીર્ય સ્તંભન થાય છે.-૨૬.
રાત્રિએ સ્ત્રીસંગની શરૂઆતમાં રૂની] દીવેટની અંદર[મરેલાં) ઈંદ્રગોપ (બીરબટી, ચોમાસામાં ઉત્પન્ન થતા એક જાતના લાલ જીવડાંનાં ચૂર્ણને રાખીને પીળી ગાયના ઘીને દીવો સળગાવવાથી પુરૂષના વીર્યનું સ્તંભન થાય છે.-૨૭.
ટંકણખાર, મરેઠી, જંગલનું સફેદ સુરણ, નિર્મળ કપૂર તથા બીજેરાનાં રસથી પોતાની આંગળીએ (લિંગને?) લેપ કરે છતે સ્ત્રીને દ્રાવ થાય છે.-૨૮ :
ઉત્તર દિશામાં રહેલા એવા ધોળા અઘાડાનું મૂલ ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા તથા ઉત્તરાભાદ્રપદ એ ત્રણ નક્ષત્રને વિષે લઈને માથે રાખવાથી જુગાર તથા વાદવિવાદમાં જય થાય છે.-૨૯
અગ્નિ પર રહેલા એવા સીસાના એક ભાગમાં બે ભાગ પારો નાંખીને, લાલ અગથીઓ, કાળો ધંતુરો, નાગદમની તથા માલકાંગણી અને અળસીથી, પ્રથમ કહેલા સીસા વગેરેનું મર્દન કરીને ફરીથી ગરમાળાના ઝાડના ગુંદથી મર્દન કરીને સંગ વખતે
For Private And Personal Use Only