________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ રાજેન્દ્ર હો સુર નર પૂજિત, આનન્દ મંગલ કારા, આનંદ સૂરિ યતીન્દ્ર જ્ઞાન દિયા તબ, વન્દન લખલખ વારા, વન્દન “જયન્ત” ચરણ સેવકહૈ તેરા, અન્તર કર ઉજિયારા, મહાવીર
ચાલો : હવે આપણે ઋજુવાલિકા નદીએ જવાનું છે.
આ આવી ઊભું : ઋજુવાલિકા તીર્થ. એનું બીજું નામ બરાકર તીર્થ ! ઋજુવાલિકા એટલે તીર્થકર ભગવાન શ્રી મહાવીરદેવની કેવળજ્ઞાન ભૂમિ !
આ ધરા ખરેખર પાવન છે. ૨૫૪૮ વર્ષ પૂર્વની આ ઘટનાને નજર સમક્ષ લાવો. એ ઘટનાને, એ દિવ્યપળોને, કેવળજ્ઞાન પ્રાપ્તિની એ પાવન ક્ષણોને, મનની કલ્પના ચક્ષુ સમક્ષ ખડી કરો. જુઓ ! આ તરણતારણહાર પરમપિતા મહાવીર ભગવાન... કેવાં શાંત અને પ્રશમરસ ઝરતાં નયન !. અનંત તેજસ્વિતાના કેન્દ્રીકરણ સમું કેવું આ દિવ્યમુખ છે !! કેવા ગોદોહિકાઆસને વિરાજે છે વિભુ !! એમના મુખની પાછળ ભામંડળની ભવ્ય શોભા સમું ભામંડલ તેજનું કેન્દ્ર બનીને દીપે છે !! જે પ્રભુને થયેલા કેવળજ્ઞાનની પ્રાપ્તિના પ્રતીક સમું દીસે છે ! જગતમાત્રના હિતની ઝંખનામાંથી ઉત્પન્ન થયેલી “સવિ જીવકરું શાસનરસીની”
૩૩---
For Private and Personal Use Only