________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શું. પસંદગીના ૨૬૦૦ કેદીઓને મુક્તિ અપાય ખરી ?
૧.
૨.
પસંદગી ના જ શા માટે ? દેશના ગામડાની જેલથી માંડીને તિહાર જેલ સુધીના સર્વ કેદીઓને કેમ મુક્તિ નહિ ? શું ભગવાન મહાવીરની કરૂણાએ ના પસંદ કે પસંદના કોઈ ભેટ દોર્યા હતા ખરા ? શું પરમાત્માની કરૂણા -અનુકંપા સાર્વજનિક ન હતી ? તેણે કોઈ પક્ષપાત રાખ્યો હતો ? કે પછી પસંદગીના કેદીઓની મુક્તિની વાતો પાછળ પણ કોઈ રાજકરણ છૂપાયું છે ? અગત્યની વાતતો એ છે કે, કેદીઓને કેટથી મુક્તિ અપાવવી એ ધાર્મિક કૃત્ય નથી. સબૂર ! કેદમાં પહોચવું પડે એવા કુકર્મોથી મુક્તિ અપાવવી તે ધાર્મિક કૃત્ય છે. જૈનોએ એ માટે જ પરિશ્રમ ઉઠાવવો રહ્યો. ર૬૦૦માં જન્મકલ્યાણકની ઉજવણીના એક અવયવ તરીકે મુક્તિ મેળવનારા ૨૬૦૦ કેદીઓ, બહાર નીકળ્યા પછી બેફામ બની જશે, હિંસા આચરશે, તો તેનું પાપ જૈનોના શિરે નહિ ઝીંકાય ? પસંદગીના જ કેદીઓને મુક્ત અપાવવાથી એ સિવાયના રહી ગયેલ કેદીઓના દિલમાં જૈનો માટે ઈર્ષ્યા અને કુર્ભાવનો જવાળામુખી નહિ જાગી જાય ? પૂરી સંભાવના છે, એની. એમ થતાં જૈનો એક વિશાળ વર્ગની વૈરભાવનાના શિકાર બની જશે, કેદીઓને મુકિત અપાવવાની ચેષ્ટાના જો વિપરીત પ્રત્યાધાતો પડ્યા તો જૈનોના મિત્ર જેવી દેશની વિરાટ હિન્દુ કોમને જેના માટે દ્વેષ નહિ જાગે ? વિચારજો.
3.
૫.
૧૨.
For Private and Personal Use Only