SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s થોડા સમય પછી એક દિવસ જ્ઞાની ગુરૂ તે નગરમાં પધાર્યા. શેઠે તેમને પૂછ્યું કે હે ગુરૂદેવ ! આ મારી પુત્રોને આવે. રોગ શાથી થયા ? આપ મારા ઉપર કૃપા કરીને તે રાગને મટાડવાને ઉપાય કહે ત્યારે ગુરૂએ કહ્યુ કે હું શેઠ! તમારી પુત્રીને સાત વર્ષોં અને સાત માસ સુધી રાહિણીનું તપ વિધિ પૂર્વક કરાવે તેના વિધિ કહુ તે ધ્યાન રાખીને સાંભળેા જે દિવસે રાહિણી નક્ષત્ર આવે તે દિવસે ચવિહાર ઉપવાસ કરવા, અને ભાવ પૂર્ણાંક શ્રી વાસુ પૂજ્ય ભગવાનની રત્નમય પ્રતિમાની પૂજા કરવી, તપ પૂર્ણ થયા પછી થાયેાગ્ય સારી રીતે ઉજમણું' કરવું તે આ તપ વિધિ પૂર્ણાંક કરાવશે તા સુગધ કુમારની જેમ સ દુઃખા મટી જશે, દુધાએ પૂછ્યુ. કે–હે મહારાજ ? એ સુગધ કુમાર કાણુ હતા ! અને એણે એવું શું વ્રત કર્યું કે તેના સર્વે દુઃખા નાશ પામ્યાં ! તે મને કહે ગુરૂએ કહ્યુ “એ સુગધકુમારની વાત સાંભળ. . સિહપુર નગરમાં સિંહસેન રાજા કનકપ્રભા રાણી સાથે રાજ્ય કરતા હતા. તેને એક પુત્ર થયા તે અતિશય દુર્ગં॰ધી હતા તેથી તે સૈાને અપ્રિય થઈ પડયા, એક વખત સિંહપૂર નગરમાં પદ્મપ્રભુસ્વામી પધાર્યા, તેમને વદન કરવા સિંહસેન રાજા પરિવાર સહિત ઉપાશ્રયમાં આવ્યા અને વ્યાખ્યાન શ્રવણુ કર્યા બાદ રાજાએ પુછયુ હે પ્રભુ ? મારા પુત્ર અતિશય દુગન્ધી થયા તેનું શું કારણ હશે ? પૂર્વ ભવમાં તેણે કયું પાપ કર્યું હશે ? પ્રભુએ કહ્યુ કે હું રાજન્ ! સાંભળ નાગપુરથી બાર જોજન દૂર નીલપર્યંત ઉપર એક શિલા ઉપર એક માસેાપવાસી સાધુ ધ્યાન ધરતા હતા. ધ્યાના વસ્થામાં તે સાધુ ઉપર વ્યાધે ઉપદ્રવ કરવા માંડયા. એક દિવસ તે સાધુ નગરમાં એષ્ણાર્થે ગયા. એટલે એ ન્યાયે તે શિલા ઉપર અગ્નિ સળગાવ્યા, તેથી For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy