________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે વખતે કુમારપાળ ભૂપાળે કહ્યું કે “જે છ મહિના સુધી તમારા નગરમાં અમારી (અહિંસા) પળા તે તેમને છૂટા કરવામાં આવે. આ મારી આજ્ઞા અને ઈચ્છા પ્રાણીઓના રક્ષણ માટે છે. તેના પાલનથી તમારે પણ કલ્યાણ થશે.” ગિઝનીપતિ પણ તેમ કરવા કબૂલ કર્યું.
પછી રાજા તેને મહેલમાં લઈ ગયે, ત્યાં તેને યોગ્ય સત્કાર કરી, જીવદયાની મહત્તા સમજાવી. પિતાના પુરુષ સાથે કુમારપાળે તેને તેના સ્થાને પહોંચાડ્યો ત્યાં છ મહિના જીવ-રક્ષા પળાવીને રાજાના પુરુષો પણ ગિઝનીપતિએ આપેલા ધણા ધડા વગેરે ભેટણ સાથે સ્વસ્થાને આવ્યાં.
ઈતિ કુમારપાળ કથા..
અહીં આ બાબતમાં બીજા પણ દષ્ટાને ઘણું આપ્યા છે, પરંતુ તે બધા દષ્ટાન્ત આપવાને આ પ્રસંગ નથી. ટૂંકાણમાં કહેવાને સાર એ છે કે વર્ષાઋતુમાં સર્વ દિશાઓમાં જવાને નિયમ કરે, પરંતુ તે કરવાની અશકિત હોય તો જેલી દિશાને ત્યાગ બની શકે તેટલી દિશામાં જવાને ત્યાંગ કર.
વળી માસમાં સર્વ સચિત્તને ત્યાગ કરે, પરંતુ તેમ કરવાને અશક્ત હોય તેણે જે જે સચિત્ત વસ્તુ વિના નિર્વાહ શક્ય હોય તે તે સચિત્તને ત્યાગ કરવે. વળી જે જે દેશમાં જે જે વસ્તુ મળતી જ ન હોય તેમ જ જે જે ઋતુમાં જે જે સચિત્ત વસ્તુ લેતી નથી, તેને તે અવશ્ય ત્યાગ કરે છે. કારણ કે તેટલે અંશે પાળેલી વિરતિ પણ મહાફલદાયી થાય છે. જેમ એક વખત ખાય પરંતુ એકાસણાનું પચ્ચકખાણ ન કરે તે
For Private And Personal Use Only