SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ “દીવાલી પર્વની કથા ઉજ્જયિની નામની મેટી નગરી હતી. તેમાં પ્રત્તિ નામે રાજા રાજય કરતાં હતાં. તે નગરીમાં જીવિત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે, આર્ય સુહસ્તિી નામના આચાર્ય આવ્યા હતાં. એક વખતે રથયાત્રાને વરઘોડે નીકળ્યો. તે વરઘોડામાં આર્ય સુહસ્તિ સૂરિ સંઘ સાથે ચાલતાં હતાં. રાજા પિતાના મહેલના ગોખમાંથી વરઘોડે જોઈ રહ્યો હતો. વરઘોડામાં આવે સુહસ્તી સૂરિને જોઈને સંપ્રતિ રાજાને વિચાર થયો કે આ વેશ મેં કઈક સ્થળે જ છે. વિચારમાં તલ્લીન થતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વભવ છે. તેથી આર્ય સુહતી જે પિતાના પૂર્વભવમાં ગુરુ હતાં તેમને ઓળખ્યાં. - ગુરૂને ઓળખીને સંપ્રત્તિ રાજા નીચે આવી ગુરૂને નમને કહેવા લાગ્યા કે, “મને ઓળખે છે?” ગુરૂએ કહ્યું કે, “દેશનાં રાજાને કણ ન જાણે?" રાજાએ કહ્યું કે હું જાણુ વાનું કહેતા નથી.” ગુરુએ શ્રુતનાં ઉપયોગથી જાણુને કહ્યું કે “તું મારે શિષ્ય હતે.” રાજાએ પૂછયું કે “મને ચારિત્ર કેમ ફળદાયી થયું તે હું જાણતા નથી. આચાયે કહ્યું કે “હે રાજન્ ! પૂર્વભવમાં તું ભિક્ષુ હતે. ભીખ માગવા છતાં કઈ તને ખાવા આપતું ન હતું. એકવાર તું ઘણે ભુખ્યો હતે. પરંતુ તેને કઈ ખાવાનું આપતું નથી. એવામાં ગોચરી લેવા માટે નીકળેલા સાધુઓને તે જોયા તેઓને લેકે આદરથી લાડવા વગેરે આપે છે. તેથી તે વિચાર કર્યો કે હું ઘેર ઘેર માગું છું છતાં કેઈ કાંઈ આપતું નથી અને આ સાધુઓને લોકે આદરપૂર્વક બોલાવીને આપે છે. આ સાધુઓને ઘણાં લાડવા મળે છે. માટે હું તેમની પાસે માગુ. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy