________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}}}}}}
સુતરનો રંગ સફેદ છે. અગાઉ વાત કરી તે મુજબ સફેદ રંગ શાંતિનો પ્રતીક છે. સફેદ રંગ ચંદ્રનો પણ છે અને અરિહંતનો પણ છે. ચંદ્રનો રંગ હોવાથી તે મનનો કારક બને છે. મન સાથે પ્રેમને સંબંધ છે. જે લગ્નજીવનનો મૂળ પાયો છે.
વાગ્યાન : વાણીથી થતું દાન. વચનપાલનની નિષ્ઠા. વાગ્ધાન એટલે એકબીજાને અપનાવવાં અને જીવનભર પોતાની જવાબદારી સ્વીકારવી.
ગોળ : પક્ષના બંને સંબંધોમાં ગોળની મીઠાશ જેવી મીઠાશ સદૈવ વૃદ્ધિ પામતી રહે તે ભાવ.
ધાણા : જેનો ગુણ એકમાંથી અનેક થવું અને પોતાની સુગંધ અકબંધ રાખવાનો છે. લગ્ન પછી વંશવેલાની વૃદ્ધિ થાય અને તેની સુવાસ ચારે બાજુ પ્રસરે તે ભાવ.
જડ : એ લોખંડની હોય છે. જે ખરાબ વસ્તુઓને દૂર કરે છે.
દુર્વા : જેનો રંગ લીલો છે. લીલો રંગ મંગલકારી છે. તે પૃથ્વીત્તત્વ ધરાવે છે. તેના સંપર્કથી જીવનમાં હરિયાળી પ્રસરે છે. દુર્વાનો ગુણ નિર્ભય બનાવવાનો અને વંશવૃદ્ધિ કરવાનો છે.
ચાર સાંઠા : ખેતરમાં જેમ હળ ચલાવીને ખેડૂત જમીનમાં બી વાવે છે. તેમ ચાર સાંઠા જે શમીના હોય છે. તે પોચા હોય છે અને આપણા શરીરની નકારાત્મકતાને શોષી લે છે. એને ચારે દિશામાં ફેંકવામાં આવે છે. આ ક્રિયા દ્વારા આત્માના અને શરીરના દુર્ગુણોને દૂર કરવાનો ઉપક્રમ છે. લગ્ન એ માત્ર સ્થૂળ વિધિ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સંસ્કારદીક્ષા છે. જેના થકી શરીર અને આત્મા શુદ્ધ થાય છે.
નારિયેળ : નારિયેળ (શ્રીફળ) સમુદ્રકાંઠે ઉત્પન્ન થાય છે. દરિયા કિનારે પ્રકૃત્તિ નીચેથી ઉપર તરફ વહન કરે છે. અને તેનું પાણી મીઠું બનાવે છે. તેનો અનેકવિધ ઉપયોગ થાય છે. તેની છાલમાંથી રસ્સી બને છે. તેની ઉપરના
– લગ્નનાર 50
For Private and Personal Use Only